________________
૯૮
અર્થ - પ્રલય કાળના પવનના જોરથી ઉંચાતણખા ઉડી રહ્યા છે તેવો, અને જગતનું ભષણ કરવાની ઈચ્છાવાળો દાવાનળ સન્મુખ આવતાં તમારા નાક-કીર્તનરૂપ જળ તેને સંપૂર્ણ રીતે શમાવે છે. ऋद्धि : ॐ ह्रीं नमः कायवलीणं ॥
..
मंत्र : ॐ ह्रीं श्रीं कर्ली हीं हों अग्नि उपशमनं कुरु कुरु
સ્વાહા ||
આ છત્રીસમા કાવ્ય-મંત્રને આરાધીને પાણીને ૧૦૮ વાર અભિમંત્રિત કરીને બળતા ઘરમાં છાંટો તો અગ્નિ શાંત થાય અને કાળીચૌદશના દિને ઘરની ચારે તરફ કાળી દોરીને અભિમંત્રિત કરી લગાવી દો તો અગ્નિ (આગ) ક્યારે લાગે નહિં.
શ્લોક ૩૬ નો પ્રભાવ બતાવનારી કથા
વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે કોઈ એક વ્યાપારી રહેતો હતો. પહેલાં તો તે બહુજ પૈસાદાર અને પ્રતિષ્ઠિત માણસ ગણાતો હતો. પરંતુ કોઈ પૂર્વ કર્મના યોગે ધીમે ધીમે તેનો પૈસો ઓછો થવાથી તે ગરીબ અવસ્થામાં આવી ગયો. વસુ વિના નર પશુ એ ન્યાયે સગા સંબધીઓ પણ ધીમે ધીમે તેનો સંબંધ છોડવા લાગ્યા.
આવી સ્થિતિમાં દેશમાં રહેવું તેના કરતાં પરદેશમાં જઈને કાંઇક ઉદ્યમ કરી ધન મેળવવું એવો વિચાર કરી પોતાની પાસે જે કાંઇક ઉદ્યમ કરી ધન મેળવવું એવો વિચાર કરી પોતાની પાસે જે કાંઇ થોડું ઘણું સાધન હતું, તે લઇને જિનદાસ પરદેશ જવા નીકળ્યો.
અનેક ગામોમાં ફરતો ફરતો તે આબુ પર્વત પાસે આવી પહોંચ્યો. ત્યાં પર્વતોના શાંત વાતાવરણમાં કોઇ નાની ગુફામાં એક મુનિને તપ કરતા જોયા. જિનદાસનું મન આકર્ષાયું. તે મુનિની પાસે ગયો અને