SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦૦] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા ભાદરવા સુદ ૪ કે- જે સંવત્સરીને દિવસ છે તેનો ક્ષય હશે ત્યારે તું ત્રીજના દિવસે ચેથ માની સંવત્સરી નહિ કરી શકે, પરંતુ તારે પાંચમને દિવસ પર્વરૂપ હોવાથી સુદ પાંચમને દિવસે થ માની સંવત્સરી કરવી પડશે અને તેમ કરવામાં તારે ઢંગધડો નહિ રહે. આ જણાવવા માટે પંકિત નીચે પ્રમાણે છે – किंच - पर्युषणाचतुर्थ्यांः क्षये पचमीस्वीक़ारप्रस'गेन त्व' व्याकुलो भविष्यसात्यपि નેam આ પંકિત જેનારો સનમનધ્ય, શાસ્ત્ર અને પરંપરાની શ્રદ્ધવાળ હશે તે -- “ઉદય વગરની સંવત્સરી અગર આઠ તિથિઓને ફેરફાર” વિગેરેનું બાનું કાઢી સંઘને ભરમાવશે નહિ અને પર્વ તિથિ કે- જે તે વખતે ઉદય વગરની હોય છે તે પણ તેને ઉદયવાળી માનીને ઉદયકાળથી પર્વતિથિને વ્યાપદેશ કરીને આરાધના કરવામાં આવે છે, તેવી જ રીતે વૃદ્ધિ વખતે પર્વતિથિને બેવડી માનીને એક દિવસનું વિરાધન કરવું જૈનસંઘને નહિ પાલવતું હોવાથી તે પહેલાના દિવસે પર્વતિથિ ઉદયવાળી હોય છે, છતાં પણ તેને અપર્વના ઉદયવાળી ગણુ અપર્વના નામને વ્યપદેશ કરી તેને અપર્વ તરીકે જ આચારમાં લે છે. જેમ એકાકી પર્વતિથિના ક્ષય - વૃદ્ધિ વખતે તેના એક દિવસને અખંડિત અને નિયમિત રાખવા માટે પહેલાના અપર્વની હાનિ-વૃદ્ધિ કરાય છે તેવી રીતે પૂર્ણિમા, અમાવાસ્યા જેવી પર્વાનન્તર પર્વની ક્ષય-વૃદ્ધિ વખતે બને છે તો અખંડ રાખવાના વ્યવહાર માટે સાથે જ રાખવામાં આવે છે. તેથી જ ક્ષય હોય તો તે તેરશને અને વૃદ્ધિ હોય તે પણ તેરસની વૃદ્ધિ થાય છે. તે હિસાબે અહીંયા ભ દરવા સુદ પાંચમ એ ભાદરવા સુદ ૪ પછીની પર્વતિથિ છે માટે તેની હાનિ કે વૃદ્ધિ વખતે તે સંવત્સરી અને . પાંચમનું અખંડપણું અને સહચરિતપણું રાખવા માટે ત્રીજની જ ક્ષય વૃદ્ધિ કરવી એ શાસનપ્રેમીઓ માટે વ્યાજબી છે આમ તત્વતરગિણીની પંકિત સ્પષ્ટ કરી આપે છે કે- શ્રી તપાગચ્છ અને ખરતરગ૭વાળો સમગ્ર સમુદાય અનુદયવાળી એટલે ત્રીજને દિવસે ચૂથ માનીને સંવત્સરી કરવામાં અને પયુંષણાની આઠે તિથિઓનું તે સંવત્સરીની એક તિથિને લીધે પરાવર્તન કરવાનું ગ્ય જ ગણતે હતે. માટે જેઓ ઉદય વગરની ચેથ છે એવા એવા બહાના કાઢે છે, તેઓ તપગચ્છ કે ખરતરગચ્છની એકેયની સામાચારી કે શાસને આગળ ન કરતાં પિતાની કલ્પનાને જ આગળ કરે છે. તા.ક. : આ ઉપરથી સમસ્ત શાસનપ્રેમીઓને સ્પષ્ટપણે જણાઈ જશે કે પિતાની કલ્પનાના આધારે પ્રવર્તવું પ્રવર્તાવવું ન હોય અને જેને શાસ્ત્ર અને પરંપરાના આધારે પ્રવર્તવું પ્રવર્તાવવું હોય તેને તે આ વખત ભાદરવા સુદી ૪ ને સેમવારે જ સંવત્સરી અને તે પ્રમાણે પર્યુષણ કરવા વ્યાજબી છે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy