SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરાજાએ પુનઃપુનઃ ગુરુદેવના ચરણોમાં વંદના કરી. આમ રાજા દ્વિધામાં આ બાજુ ગોપાલગિરિમાં આમ રાજાએ બીજે દિવસે સવારે બપ્પભટ્ટીને જોયા નહીં. જ્યારે આચાર્યદેવ રાજસભામાં પણ ન પધાર્યા ત્યારે રાજાએ નગરમાં અને નગર બહાર તપાસ કરાવી. રાજપુરુષો જે શોધવા ગયા હતા, તે નિરાશ થઈને પાછા ફર્યા. ત્યાં જ રાજાની નજર રાજમહેલના દરવાજા ઉપર લખેલા શ્લોક ઉપર પડી. અક્ષરો તરત જ ઓળખ્યા. રાજાએ શ્લોક વાંચ્યો, તો મુખ ઉપર વિષાદ ઘેરાઈ આવ્યો. તેણે રાજપુરુષોને કહ્યું : ‘હવે ગુરુદેવની તપાસ ન કરતા, તે અન્યત્ર વિહાર કરી ગયા છે.’ પળવા૨ તો રાજાએ મનમાં વિચાર્યું : ‘જવા દો એમને. મારે તો એમના વગર ચાલશે; મારા અંતઃપુરમાં એમનો પ્રવેશ યોગ્ય પણ થોડો હતો ?’ પણ હવે રાજસભામાં પહેલા જેવી રંગત જામતી ન હતી. બપ્પભટ્ટીનાં જ્ઞાનભરપૂર, રસપ્રચુર કાવ્યોનો આસ્વાદ લીધા પછી અન્ય કોઈનાં ય કાવ્યોમાં રાજાને રસાનુભૂતિ થતી ન હતી. આમ રાજાનું મન રાજકાર્યમાં ચોંટતું નહોતું, અતડું-અતડું રહેતું હતું. કોઈક વાર રાજા આચાર્યના વિચારોમાં ડૂબી જતો હતો, તો કોઈક વાર અલગ અલગ મૈત્રી-પ્રસંગોની સ્મૃતિઓની યાદમાં ઊતરી પડતો હતો. એક વાર આમ રાજા જંગલમાંથી મહેલ તરફ પાછો ફરી રહ્યો હતો, ત્યાં રસ્તામાં તેણે એક મોટો સાપ જોયો. રાજાએ એને મુખથી પકડ્યો, કપડાથી ઢાંક્યો અને મહેલમાં લઈ આવ્યો. એણે કવિઓને પૂછ્યું, વિદ્વાનોને પણ પૂછ્યું, પંડિતોને બોલાવીને સમસ્યા પૂછી. 'શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા અને અન્ય જેનાથી પોષાય છે.' રાજાએ એટલું કહીને કહ્યું કે - ‘મારા હૃદયગતભાવને તમે બતાવો વાસ્તવમાં હું શું કહેવા માગું છું.’ આમ રાજાની સમસ્યાપૂર્તિ બપ્પભટ્ટી કરે છે : કોઈના ય પ્રત્યુત્તરથી રાજા સંતુષ્ટ ન થયો. આ સમયે એને બપ્પભટ્ટીની સ્મૃતિ થઈ આવી. રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે “જે કોઈ વ્યક્તિ મારી સમસ્યાની પૂર્તિ કરી દેશે, મારા મનોગત ભાવોને કહેશે, એને એક લાખ સુવર્ણમુદ્રાઓ ભેટ આપીશ.' ગોપાલગિરિનો એક જુગારી ગૌડદેશમાં લક્ષણાવતી નગરીમાં પહોંચ્યો. એણે આચાર્યદેવનાં દર્શન કર્યાં. એણે વિનયપૂર્વક આચાર્યદેવની સામે આમ રાજાની સમસ્યા પ્રસ્તુત કરી - ‘શાસ્ત્ર, શસ્ત્ર, ખેતી, વિદ્યા અને અન્ય જેનાથી પોષાય માધ્યસ્થ ભાવના ૨૮૧
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy