________________
ચાહનામાં, વૈશ્વિક મૈત્રીમાં માનનારા હતા. સામાન્ય અપરાધીની જેમ એ બધાના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતા. એમને ખલીફાની સામે હાજર કરવામાં આવ્યા હતા.
એ સમયના મૌલવી-ધર્મગુરુ સૂફી માન્યતાઓ અને વ્યવહારોથી વિરુદ્ધ હતા. સૂફી સંતો દેશમાં પ્રેમ-મૈત્રીનો પ્રચાર કરી રહ્યા હતા. જે રીતે કૃષ્ણભક્તો ગોપી બનીને કૃષ્ણને ચાહતા હતા, એ રીતે સૂફી સંત અલ્લાના આશિક બનીને અલ્લાને
ચાહતા હતા.
મુલ્લાની કપટબુદ્ધિથી એ સૂફી સંતોને મારી નાખવાનો હુકમ ખલીફાએ કરી દીધુ. સૂફી સંતોની ટોળીમાંથી એક-એકને આગળ આવવાનું કહેવામાં આવ્યું. એક આગળ આવ્યો. જલ્લાદની સામે તેણે પોતાનું મસ્તક નમાવ્યું. જલ્લાદે પોતાની તલવાર ઉપાડી, એ સમયે અચાનક બીજો સંત આગળ આવ્યો... ત્રીજો સંત વેગથી આગળ આવ્યો... જલ્લાદનું ખડ્ગ હવામાં ઉપર જ રહી ગયું.
ખલીફાએ આશ્ચર્યથી પૂછ્યું : ‘શું તમને તમારી જિંદગીનું કોઈ મૂલ્ય નથી ?’
છે ને ખુદાવિંદ ! મેં એનું સ્થાન લીધું એનું એક નિશ્ચિત કારણ છે - મારે બદલે મારા મિત્રને એક-બે ઘડી વધારે જીવવા દો.' બીજાએ કહ્યું : ‘સ્વાર્પણ એ પ્રેમ છે, ઓ ખલીફા ! અલ્લા તારી ઉપર, આ મૌલવીઓ ઉપર અને વિશ્વના તમામ જીવો ઉ૫૨ દુઆ કરે.’
પેલો ખલીફા એ સૂફી સંતોના ચરણોમાં પડી ગયો. માનપૂર્વક સર્વ સૂફી સંતોને બંધનમાંથી મુક્ત કર્યા.
સૂફી સંતે હત્યાનો આદેશ આપનાર ખલીફા પ્રત્યે, ખલીફાને ભડકાવનાર મૌલવીઓ પ્રત્યે અને સંસારના સર્વ જીવો પ્રત્યે અલ્લાની દુઆ માગી - એ સર્વે જીવો સુખી બને ! એમના મનમાંથી રોષ-દ્વેષ દૂર થઈ જાય અને તેઓ પરમ સુખ તરફ
ગતિ કરે.
એક વાર પણ સમતારસનો આસ્વાદ કરો
એક વાત ન ભૂલો કે મૈત્રી ભાવનાને હૃદયમાં દૃઢ કરવાની આ તમામ વાતો છે. કોઈ જીવને શત્રુ ન માનો. સર્વ જીવોને આપણા સ્વજનો માનવા. બીજાંના દુર્વ્યવહારમાં એમનાં પાપોનો દોષ જોવો. શત્રુ પ્રત્યે પણ સુખશાન્તિની કામના કરવી, એ પણ મોક્ષસુખ પામે એવી ભાવના ક૨વી.
આ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે એક વાર પણ સમતારસનો, પ્રશમરસનો આસ્વાદ કરી લો. પ્રશમનું સુખ, ભોગસુખોથી આગળ છે. ‘પ્રશમરતિ’માં કહેવામાં આવ્યું છે -
–
મૈત્રી ભાવના
૧૪૧