SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગીધ ઊડી ગયું અને ક્યાંકથી સળગતું લાકડું લઈ આવ્યો અને તેણે રાજાની પાસે ફેંક્યું. જો કે સંન્યાસી પક્ષીની ભાષા જાણતો હતો, પરંતુ તેણે રાજાને કહ્યું નહીં. રાજાએ સળગતા લાકડાથી આગ પેટાવી, ઠંડીનો ઇલાજ તો થઈ ગયો. સંન્યાસીએ કહ્યું “રાજનું, ભૂખ તો લાગી હશેને?” રાજાએ કહ્યું “અત્યાર સુધી ઠંડીમાં ભૂખ યાદ આવી નહીં, પરંતુ હવે ભૂખ સખત લાગી છે.' સંન્યાસીએ કહ્યુંઃ રાજન્ ! દિવસ હોત તો ગમે ત્યાંથી ફળ વગેરે આહાર લઈ આવત, પરંતુ રાત્રિમાં સંભવ નથી, સવારે અવશ્ય કંઈક કરીશું. પરંતુ રાજાને ભૂખ ખૂબ સતાવતી હતી. તેણે કહ્યું આ ઝાડના પાન ખાઈ લઉં તો? અસહ્ય ભૂખ લાગી છે.' સંન્યાસીએ મના કરી. ઝાડ ઉપરના તેમના માળામાં ગીધ અને એની પત્નીએ સંવાદ સાંભળ્યો. ગીધપત્નીએ કહ્યું: “આપણા મહેમાનને ખૂબ ભૂખ લાગી છે અને રાજાને ભૂખતરસ સહન કરવાની આદત હોતી નથી. એટલા માટે તમે આ બચ્ચાંને સંભાળજો. હું આગમાં કૂદી પડું છું. મને આગમાં શેકીને રાજા ખાઈ લેશે. આપણે ગૃહસ્થ છીએ. આપણે ત્યાંથી અતિથિ ભૂખ્યો જાય એ કેવી રીતે ચાલી શકે? અને હું નીચે પડતાંની સાથે જ જીભ કચડીને મરી જઈશ, એટલા માટે રાજા મને બચાવવા પ્રયત્ન પણ નહીં કરે. આપણે આરામથી આપણા માળામાં સૂતાં રહીએ અને મહેમાન ભૂખથી દુઃખી થાય તો આપણો ગૃહસ્થાશ્રમ લાજે.' ગીધે કહ્યું “તારી વાત સાચી છે, પરંતુ મા વગરનાં બચ્ચાં તડપી-તડપીને મરી જશે, એટલા માટે હું આગમાં કૂદી પડું એ વધારે ઉચિત છે. હું પણ નીચે પડતાંની સાથે જ જીભ કચડીને મરી જઈશ.'ગીધે એ પ્રમાણે જ કર્યું. એ આગમાં કૂદી પડ્યો. પડ્યો તેવો જ રાજાએ એને બહાર કાઢ્યો, પરંતુ એ તો મરી ગયો હતો. સંન્યાસીએ કહ્યુંઃ રાજ!તું ભાગ્યેશાળી છે. પક્ષી તો મરવાનું હતું તે મરી ગયું. તું એને શેકીને ખાઈ લે, તારી ભૂખ શાન્ત થશે.” રાજાએ પક્ષીનું ભક્ષણ કરી લીધું. સંન્યાસીએ કહ્યુંઃ રાજ! હવે તો ભૂખ શાન્ત થઈને?” રાજાએ કહ્યું: “ના, હવે તો ભૂખ વધારે જોરથી લાગી છે. ગીધપત્ની માળામાં આ સાંભળતી હતી. તેણીએ વિચાર કર્યો મારે ત્યાં આવેલો મહેમાન ભૂખ્યો રહે એ કેવી રીતે ચાલી શકે?મારે પણ મારા પતિના માર્ગે જવું પડશે. હે પ્રભુ!બચ્ચાંને સંભાળનારી હું કોણ?પ્રભુ! તું જ એમની રક્ષા કરજે.' તેણે બચ્ચાંને સારી રીતે સુવાડ્યાં. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું અને તે નીચે આગમાં કૂદી પડી, મરી ગઈ રાજાએ એને પકવીને આહાર કર્યો. સાંભળ્યું ને? સુખ કેવી રીતે અપાય છે? સુખ આપવા માટે સ્વાર્પણ કરવું પડે [૧૧૮ | શાનસુધારસ ભાગ ૩
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy