________________
સદુહણા જિનધર્મની, બહુ દુર્લભ જાણો, ઉત્તરોત્તર એ સામગ્રી, બહુ પુણ્ય પ્રમાણો....૪ ચિંતામણિ સમ સામગ્રી પામીને મત હારી પારસમણિ સમ બોધિને થિર હૃદયે ધારો..૫ ગજ સાટે ખર કાંકરો મણિ સાટે ન લીજે.. બોધિસુધાના પાનથી, ભવભાત્તિ હરીએ.. નટી ગીતથી બૂઝીયો, ક્ષુલ્લક બોધિ સંભાલે,
કુશલદીપ ગુમથી, દેહ ભાવ વિસારે..૭ દાન-શીલ, તપ, જપ આદિ ક્રિયાઓ ત્યારે જ સફળ માની શકાય. જ્યારે શુદ્ધ તત્વની શ્રદ્ધા હોય. આ શ્રદ્ધાથી જ ભવસાગર તરી શકાય છે. મિથ્યાત્વથી ઘેરાયેલો જીવ ભવમાં ભ્રમણ કરે છે અને બોધિબીજના તેજથી
અંદરનો અંધકાર દૂર થાય છે. . એટલા માટે બોધિદુર્લભ ભાવના અવશ્ય ભાવતા રહો. દશ દ્રષ્ટાંત જેવો દુર્લભ
આ મનુષ્યજન્મ મળ્યો છે. આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, પંચેન્દ્રિય શરીર, નીરોગી દેહ. આ બધું પામીને શા માટે હારી જાય છે! શા માટે એ ગુમાવે છે? અતિદુર્લભજિનશાસન મળ્યું છે, દુર્લભ ગુરુવચન મળ્યાં છે. એ રીતે દુર્લભ શ્રુત શ્રવણ કરીને ભાવથી એનો આદર કરવો જોઈએ. જિનધર્મ પર શ્રદ્ધા - સદ્દતણા - અતિદુર્લભ ભાવના - ક્રમશઃ આ બધી સામગ્રી મળવી અતિ પુણ્યનો ઉદય છે એમ માનો. ચિંતામણિ રત્ન સમાન આ બધું પ્રાપ્ત કરીને હવે ગુમાવો. પારસમણિ સમાન બોધિને હૃદયમાં સ્થિર કરો. હાથી આપીને ગદર્ભન લો. મણિના બદલામાં કાંકરો ન લો. બોધિસુધાનું પાન
કરીને ભવભ્રાન્તિ દૂર કરો. 1 કુલ્લકકુમાર મુનિ નૃત્યાંગનાના ગીતથી જેમ સંયમી બન્યા - સંયમમાં સ્થિર થયા, તેમ બોધિબીજને યાદ કરતા રહો.. ભગવાનને પ્રાર્થના કરો -
सामिय ! तुहप्पसाया हवेऊ सम्मत्त संपत्ति । હે નાથ! આપની કૃપાથી અમને સમ્યક્તની સંપત્તિ પ્રાપ્ત થાઓ. . આજે બસ, આટલું જ. બોધિદુર્લભ ભાવના
ક
૧૦૧