________________
!એઓહવે નથી રહ્યા!શાંતસુધારસનીભાવનાઓમાં ડૂબીને જ એમણે પાર્થિવદેહનો ત્યાગ કર્યો. એમના વડીલ કાકા વયોવૃદ્ધ શાંતિભાઈ સાઠેબાકરની જેમ જ!
એમનો આત્મા જ્યાં હો ત્યાં શાંતસુધારસના ગાન-પાનમાં મસ્ત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના!
શાંતસુધારસના શ્લોકો તથા ગેય કાવ્યોનેરસમધુર શાસ્ત્રીય રાગોમાં સંગીતબદ્ધ કરનાર અને રસતરબોળસ્વરમાંગાનારકેતન-કૌશિક-કલ્પનાસંગોઈભાઈ-બહેનોએ તો શાંતસુધારસના પ્રચાર-પ્રસારમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
એકલા...આપમેળે..આપબળેજનથી જીવી શકાતું નથી કંઈ કરી શકાતું. ઘણા બધાનો સહયોગ, સહકાર અને મદદનો મોટો ફાળો પ્રત્યેક સર્જનમાં રહેલો હોય છે. ક્યારેક એ બધા ભિન્ન-અભિન્ન હિસ્સાઓને સંભારવાનું ટાળી ન શકાય, ન યાદ કરીએ તો મનમાં કંઈક કસક ઉઠયા કરે!
સામાન્ય રીતે મારા કોઈપણ પુસ્તકની હું બહુ લાંબી પ્રસ્તાવના લખતો નથી, પણ આ વખતે હૃદયમાંની લાગણીઓ અભિવ્યકત થઈ જ ગઈ. આ લખવામાં સંપૂર્ણ કાળજી રાખવાછતાં પ્રમાદથી,મતિમંદતાથી કે અસ્વસ્થપ્રકૃતિના કારણે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે સજ્જનો, મને ક્ષમા કરજો.
૬૫/૬૬બી શ્યામલ રો હાઉસ-૩ એ. સેટેલાઈટ, અમદાવાદ.
Sneglen
૧૫-૭-૯૭