________________
૧. સ્ત્રીકથા. ૨. ભોજનકથા ૩. દેશકથા ૪. રાજકથા
પહેલી વિકથા છે -ત્રીકથા. કેટલાંક વર્ષોથી સ્ત્રીકથા વધારે વ્યાપક બની છે. ફિલ્મની એન્ટેસો - મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ. આવી અનેક સ્ત્રીઓની ચર્ચા યુવાન વર્ગમાં, પ્રૌઢ વર્ગમાં ચાલે છે. એ રીતે છોકરા માટે છોકરીની પસંદગીના. વિષયમાં પણ સ્ત્રીકથા થાય છે. દેશમાં વિદેશમાં પણ કોણ સ્ત્રી રાજ્યના પ્રધાન પદે છે? કેવાં વસ્ત્રો પહેરે છે? કેવું રૂપ છે? કેવી બુદ્ધિ છે? એનામાં કયા દુર્ગુણો છે?
આવી અનેક વાતો છાપાઓમાં આવે છે. ધૃણાસ્પદ - અર્ધનગ્ન ફોટા છપાય છે. લોકો આ વિષયમાં ચર્ચા કરે છે. વસ્ત્ર અને અલંકારના વિષયમાં પણ સ્ત્રીકથા ચાલતી રહે છે. રૂપ, યૌવન અને નૃત્યાદિ કલાઓના વિષયમાં પણ સ્ત્રીકથા ચાલતી હોય છે. આ બધામાં ડૂબેલા લોકો ગુરુજનોની પાસે જઈને ધર્મશ્રવણ કથા કરી શકે?
બીજી કથા છે - ભોજનકથા. ઘરમાં, પાટમાં, ભોજન સમારંભોમાં ભોજનની ચર્ચા થતી હોય છે. સારા-ખરાબ ભોજનની ચર્ચા થતી હોય છે. કોઈ કોઈ વાર તીવ્ર રાગદ્વેષ થાય છે, લડાઈ-ઝઘડા પણ થાય છે. કેટલાક લોકોના મનમાં તો પ્રિય ભોજનના જ વિચારો ચાલતા હોય છે. શું શું ખાઉં? કઈ હોટલમાં ખાઉં? ક્યારે જઈને ખાઉં? આવા વિચારોમાં એઓ ફસાતા રહે છે. એમને ગુરુની પાસે જઈને ધર્મશ્રવણ કરવાના વિચારો કેવી રીતે આવે?
આ રીતે દેશકથા અને રાજકથા તો પ્રતિદિન છાપાઓમાં કેટલાય લોકો વાંચતા જ હોય છે. પોતપોતાના પ્રિય-અપ્રિય અભિપ્રાયો પણ આપતા જ હોય છે. ભલેને તમારા અભિપ્રાયોનું કોઈ મહત્ત્વ ન હોય, તો પણ કોકની સામે તમે તમારો અભિપ્રાય સંભળાવવાના જ. કોઈ વાર ભારત અંગે, કોઈ વાર પાકિસ્તાન અંગે, તો વળી કોઈ વાર અમેરિકા કે યુરોપના દેશોના વિષયમાં! તો કોઈક વાર ગલ્ફના દેશો અંગે. તમે જાણો છો કે તમારા અભિપ્રાયોનું મહત્ત્વ દિલ્હીના દરબારમાં નથી, છતાં પણ તમે રાજકથા, દેશકથા પ્રિય હોવાને લીધે તમારો અભિપ્રાય આપતા રહો છો. રાગદ્વેષ પણ કરતા રહો છો. ચિત્તની એકાગ્રતા નષ્ટ થાય છે . વિકથાઓ સાંભળવાથી યા બોલવાથી વિષય-કષાયો મનમાં ઊભરાઈ આવે છે. વિષય-કષાયના આવેગો અનર્થકારી હોય છે. આજકાલ તો રાજનીતિમાં અનેક પક્ષો હોય છે. પક્ષોમાં લડાઈ-ઝઘડા હોય છે, એવી સ્થિતિમાં મનની એકાગ્રતા કેવી [૯૨LL
E
શાન્તસુધારસઃ ભાગ ૩]