SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભપરાવર્તન માટે સૌધર્મેન્દ્રને આદેશ તમારી તૈયારી છે. અને અનંત ઉપકારી તીર્થંકર પરમાભાના તમે પરમભકત છે તેથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મહાન જવાબદારીવાળું અને આપણા સહુ કેઈનું કલ્યાણકારીકાર્ય તમે જરૂર કરી શકશે! ગર્ભપરાવર્તન માટે હરિગમેલી સાથે વાર્તાલાપ પિતાના સ્વામી ઈન્દ્રમહારાજ પાસેથી ઉપર જણાવેલ હકીક્ત શ્રવણ કરી હરિણગમેલી દેવ આત્મકલ્યાણકારી ઉત્તમ કાર્ય કરવાને મંગળ અવસર પ્રાપ્ત થવાના કારણે અનન્ય આનંદ પામ્યા અને બે હાથ જોડી મસ્તક નમાવી પિતાના સ્વામી સૌધર્મેન્દ્રને વિનમ્રભાવે વિનંતિ કરી કે, મારા લાયક આજ્ઞા હોય તે મને ફરમાવે. આપની ગમે તેવી આજ્ઞા શિવન્ત કરવા માટે આ સેવક તૈયાર છે. પિતાના સેવકના મુખેથી ઉલ્લાસભર્યો જવાબ મળવાથી સૌધર્મેન્દ્ર તરફથી હરિગમેથીને જણાવવામાં આવ્યું કે, જંબુદ્વીપનાં, ભરતક્ષેત્રના, બિહાર પ્રાન્તમાં, બ્રાહ્મણકુંડ નામના નગરમાં, ઇષભદત્ત બ્રાહ્મણને ધર્મપત્ની દેવાનંદાની કુક્ષિમાં, અષાઢ સુદ દની રાત્રિએ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રને વેગ આ તે અવસરે વીસમા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પ્રભુને આત્મા પ્રાણુત નામના દશમા દેવલેકમાંથી ઍવીને પુત્રરત્ન રૂપે અવતરેલ છે. જેનશાસનને એ સામાન્ય નિયમ છે કે તીર્થકરને આત્મા ક્ષત્રિય કુળમાં જ અવતરે, પણ બ્રાહ્મણ કુળમાં કદિ ન અવતરે એમ છતાં તીર્થકર જેવા આત્મા માટે પણ અવશ્ય જોગવવા ગ્ય ગોત્રમ્ વિશેષના કારણે 8. . મ૩૫
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy