________________
૨૮૪
શ્રિમણ ભગવાન મહાવીર
સુખ–દુઃખવાળા નથી હોતા, તે જ પ્રમાણે દેવકમાં વર્તતા દેવોમાં પણ બધાં સમાન સુખ-સંપત્તિવાળા નથી દેતા; એમની સુખસંપત્તિમાં પણ અનેક પ્રકારે તારતમ્ય હેય છે. માનવજગતમાં જેમ રાજા, મહામંત્રી, મંત્રી અને પ્રજા એવા વિભાગે હોય છે. તે જ પ્રમાણે દેવની દુનિયામાં પણ અમુક દેવોને બાદ કરી મોટાભાગના દેવોમાં ઈન્દ્ર-સામાનિક વગેરે અહીંના જેવા જ વિભાગ હેય છે. માનવજગતમાં આધ્યાત્મિક દૃષ્ટિએ જેમ જ્ઞાની, અજ્ઞાની, સમ્યગૃષ્ટિ, મિથ્યાષ્ટિ એવા વિભાગે હોય છે. તેમ દેવલોકમાં વર્તતા દેવેમાં જ્ઞાન, અજ્ઞાની, સમ્યગ્દષ્ટિ એવા વિભાગે હોય છે. માનવજગતમાં સંયમી તેમજ અસંયમી ઉઠ્ય પ્રકારના આત્માઓ હોય છે.
દેવોની દુનિયામાં સમ્યગુદૃષ્ટિ દેવોને સંયમ માટે અનન્ય શ્રદ્ધા હોવા છતાં દેવને ભવ મળવાને કારણે તેઓ સંયમને અમલ કરી શક્તા નથી અર્થાત્ દેવો બધાં અસં. યમી જ હોય છે. માનવજીવનમાં અતીન્દ્રિય (અવધિ વગેરે) જ્ઞાન વિશિષ્ટ ગુણવાન અમુક જ વ્યકિતઓમાં હેઈ શકે છે. જ્યારે દેવોની દુનિયામાં ઓછા-વધુ પ્રમાશુમાં પણ પ્રત્યેક દેવને, દેવના ભવપરો, અતીન્દ્રિયઅવધિજ્ઞાન અવશ્ય હોય છે.
સમ્યગદષ્ટિદેવેનું જીવન સમ્યગદષ્ટિ દેવે દેવલોકમાં ઉત્પન્ન થયા પછી જીવન પર્યત દેવતાઈ સુખોની વચ્ચે રહેવા સાથે યચિતપણે તેને ભગવટો કરવા છતાંએ ભેગસુખમાં સમ્યગ્રદર્શનના કારણે અનાસક્ત હોય છે. સાથે સાથે તેઓ દેવકને