________________
શ્રમણ ભગવાન મહાવીર
૨૬૧
આકાશદ્રવ્યના લોકાકાશ અને અલોકાકાશ વિભાગ
અનંત જીવાત્માઓ તેમજ અનંતાનંત આણુ-પરમાણુઓને અવગાહ એટલે કે સ્થાન આપનાર જે દ્રવ્ય પદાર્થ છે, તેનું નામ આકાશ છે. આ આકાશ દ્રવ્ય સંખ્યાની અપેક્ષાએ એક જ છે, પણ ક્ષેત્રની–પ્રદેશની અપેક્ષાએ અનંત છે. એ આકાશ દ્રવ્યને ક્ષેત્રની અપેક્ષાએ કઈ સ્થળે અંત નથી. આ આકાશદ્રવ્યના સાપેક્ષ ભાવે બે પ્રકાર છે. લેકાકાશ અને એકાકાશ. જે આકાશક્ષેત્રમાં અનંત જીવાત્માઓ અને અનંત અણુ-પરમાણુઓ રહેલા છે તે આકાશક્ષેત્રને લેકાકાશ કહે છે. આજની પ્રચલિત ભાષામાં વિશ્વ, જગત, દુનિયા જે કંઈ કહેવાય છે તે આ કાકાશ છે. લેકાકાશના ક્ષેત્રની અપેક્ષાએ વિસ્તારમાં અનંતાનંતગણું અલકાકાશનું ક્ષેત્ર છે. આ અલકાકાશમાં જીવાત્મા અને અણુ-પરમાણુઓને સર્વથા અભાવ છે લોકાકાશનીઅંતિમ રેખા ઉપર ઉભા રહીને કેઈપણ શક્તિશાળી દે, દાનવ કે મનુષ્ય આ અલકાકાશમાં આંગળી પણ લાંબી કરી શકતું નથી. કારણકે લોકાકાશવર્તી છે અને પુદ્ગલ દ્રવ્ય જ્યારે ગતિ અને સ્થિતિશીલ બનીને ગતિ અને સ્થિતિ પરિણામમાં પરિણમે છે. ત્યારે તે દ્રવ્યને ગતિ અને સ્થિતિમાં નિમિત્તભાવે સહાયક બનતાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે દ્રવ્ય કે જે લોકાકાશમાં વ્યાપીને રહેલાં છે, તે અલોકમાં ન હોવાથી જીવ-પગલોની ગતિ સ્થિતિ ત્યાં થતી નથી.