________________
આલોચના એ અત્યંતર તપ છે.
૨૪૩
શલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વના પ્રથમસર્ગમાં સવિસ્તરપણે આપેલ છે. વર્તમાનમાં કેટલાય સુવિહિત સાધુ મુનિરાજે આ આરાધનાને નિત્ય સ્વાધ્યાય કરે છે. મારા પરમતારક દાદા ગુરુ શાસનપ્રભાવક ગીતાર્થપ્રવર શુદ્ધ પ્રરૂપક આચાર્યદેવ શ્રી વિજ્યમેહનસુરીશ્વરજી મહારાજ પણ આ નંદનમુનિવરની આરાધનાના કલેકેને નીતર સ્વાધ્યાય કરતા હતા અને પિતાના સ્વર્ગવાસના નજીકના દીવસમાં તો પિતાની પાસેના સાધુઓને આ અંતિમ આરાધના શ્રવણ કરાવવાની માંગણી તેઓશ્રી તરફથી વારંવાર ચાલુ રહેતી હતી.
ચશેવિ.
સમ્યગ્દર્શનની સ્થિરતા અને સમ્યગ્નદર્શનની નિર્મલતા પ્રાપ્ત કરવા માટે નિશકિતપણું, કાંક્ષારહિતપણું વગેરે આઠ પ્રકારના દર્શનના આચારેનું પરિપાલન કરવામાં મારાથી મન-વચન કયા વડે જાણતાં અજાણતાં જે કોઈ અતિચારાદિ લાગેલ હોય તેને હું ત્રિવિધ ત્રિવિધ પશ્ચાત્તાપ કરું છું, એ અતિચારની નિંદા ગહું કરું અને વારંવાર તેને મિચ્છામિદુકકડ આપું છું. પંચ મહાવ્રતે તેમજ છઠું રાત્રિભેજનવિરમણવત એ ચારિત્ર છે. પાંચ સમિતિ તેમજ ત્રણ ગુપ્તિ આ અષ્ટ પ્રવચન માતાનું જેટલું વિશિષ્ટ પાલન તેટલી ચારિત્રમાં નિર્મળતા આવે છે, અને એ કારણે જ ચારિત્રના આઠ આચારમાં આ અષ્ટ પ્રવચન માતાને સ્થાન આપવામાં આવેલ છે. આ અષ્ટ પ્રવચન માતાના પરિપાલનમાં તેમજ પરિણામે પંચમહાવ્રત અને છઠ્ઠા રાત્રિભેજનવિરમણ વ્રતના પરિપાલનમાં મન વચન કાયા વડે જે કઈ અતિ