SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રમણ ભગવાન મહાવીર આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય રાખવાનું છે. બન્ને પ્રકારના તપમાં અત્યંતર તપની જે કે પ્રધાનતા છે, એમ છતાં આહારની લેલુપતાના ત્યાગ સ્વરૂપ બાહ્ય તપની આચરણ સિવાય અત્યંતર તપનું સ્થાન પ્રાપ્ત થવું અશકય હોવાના કારણે બાહ્ય તપની પણ એટલી જ પ્રધાનતા છે, જેનશાસનમાં તપને જેટલું મહિમા અને જેટલી આચરણ છે તે મહિમા અને તેવી આચરણ અન્ય કઈ દર્શનમાં નથી આવા ઉભય પ્રકારનાં તપનું હું સુંદર આરાધન કરૂં અને ભાવિલે અસંખ્ય ભવ્ય જીને આ તપની આરાધના કરવામાં ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા નિમિત્ત બનું? આ પ્રમાણે સતત સર્વોત્કૃષ્ટ ભાવના ભાવનાર આત્મા પણ જિન નામકર્મના બંધન અધિકારી બને છે. પંદરમું ગેયમ અથવા પ્રથમ ગણધર પદ પંદરમા પદમાં કઈ કઈ છમાં સુપાત્ર દાનને અને કઈ કઈ ગ્રન્થમાં ગેયમ પદને સ્થાન આપવામાં આવેલ છે. અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે સુપાત્રદાન એ ગુણ છે, અને ગેય પદ એ ગુણી છે. ગુણ-ગુણીને અભેદ સંબંધ ખ્યાલમાં રખાય તે સુપાત્રદાનનું અથવા ગોયમપદનું પંદરમા પદ તરીકે સ્થાન બરાબર લાગે છે. અહિં એ બાબત પણ ખ્યાલમાં રાખવાની છે કે ગાયમ પદ વડે એક્લા ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ જ લેવાના નથી. પરંતુ અઢીદ્વીપ વર્તિ ત્રણેય કાળના સર્વ તીર્થકરોનાં પ્રથમ ગણધર ભગ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy