SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રમણ ભગવાન મહાવીર નાર મુનિવરોને આગમાદિ શાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ કરાવવાનું પ્રધાન કાય ઉપાધ્યાય ભગવંતનું છે. ( આ પ્રમાણે સ્થવિર ભગવંતે અને ઉપાધ્યાય મહારાજાઓ પણ પરંપરાએ ધર્મતીર્થના સંરક્ષક છે. અને જ્યાં ધર્મતીર્થના સંરક્ષણની ભાવના વર્તતી હોય ત્યાં “સવિ જીવ કરું શાસનરસી” આ ભાવદયાની ભાવના પણ અવશ્ય વિદ્યમાન હોય છે. આ કારણે વિરપદ તથા ઉપાધ્યાય પદને આરાધક આત્મા તીર્થંકરનામ ગેત્રને બંધ કરી ભાવિકા તીર્થકરપદને લેતા બને છે. સાતમું સાધુપદ વિશસ્થાનક પૈકી પાંચમા અને છઠ્ઠા પદમાં અનુક્રમે સ્થવિર પદ અને ઉપાધ્યાય પદનું સ્થાન આવ્યા પછી સાતમાં પદમાં સાધુ પદનું સ્થાન છે. નિર્વાણ સાધક અર્થાત મક્ષસાધક યોગોને સાધે તે સાધુ છે. સાધુપદની આરાધનામાં ત્રણે ય કાળનાં અને પંદરે ય કર્મભૂમિનાં સર્વ સાધુ ભગવંતનો સમાવેશ થાય છે. કોઈપણ સાધુ-સાધુપદની જે રીતે આરાધના કરવી જોઈએ તે રીતે આરાધના માટે જે ઉપગવંત હોય તે તે સાધુ-મુનિરાજના અંતરાત્મામાં પ્રતિક્ષણે છ એ કાયના જીવને એટલે કે જગતના સર્વ જેને અભયદાન આપવાની ભાવના વિદ્યમાન હોય છે. ચાલવાની, બલવાની, ખાવાની, પીવાની, સુવાની કે બેસવાની કેઈપણ પ્રવૃત્તિ પ્રસંગે કેઈપણ સૂમ કે બાદર, ત્રસ અથવા સ્થાવર જીને યતકિંચિત્ પણ પીડા
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy