SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦. શ્રમણ ભગવાન મહાવીર શમા નંદનમુનિના ભવમાં વિંશતિસ્થાનકની જે આરાધના કરી છે એ વિશે ય પદોને અને સાથે સાથે તે પ્રત્યેક પની સાથે સંકળાયેલ ભાવદયાની પ્રથાનતાને અહિં સંક્ષેપમાં પરામર્શ કરવામાં આવે છે તે અવસરચિત છે. વિંશતિસ્થાનકમાં પ્રથમ શ્રી અરિહંત પદ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને પૂજાતિશય એ ચાર મુખ્ય અતિશય ઉપરાંત અશોક વૃક્ષ વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યથી વિભૂષિત વર્તમાનમાં જે કંઈ વિચરતા તીર્થ કર હોય તેઓને અરિહંત કહેવાય છે. અરિહંત પદના ઉચ્ચારણમાં ત્રણેય કાળના તેમ જ પંદર કર્મ ભૂમિના સર્વ તીર્થકરોનો સમાવેશ થાય છે. અરિહંત ભગવંત પોતાના અંતરાત્મામાં વર્તતા રાગદ્રવ વગેરે અપાયે (દેશ)નો સંયમની સાધના વડે સર્વથા ક્ષય કરે છે. પરંતુ પિતાના એ અપાને સર્વથા અપગમ ( વિનાશ) થયા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ સમવસરણના પ્રસંગે જ એક એવું લોકેત્તર ધર્મતીર્થ સ્થાપે છે કે જે કોઈ મહાનુભાવ ભવ્યાત્માએ તીર્થનું જે રીતે શરણ સ્વીકારવું જોઈએ તે રીતે અભેદપણે શરણ સ્વીકારે તે તે ભવ્યાત્માના રાગદ્વેષાદિ અપાયે (દે)ને અપગમવિનાશ અવશ્ય થાય છે. એ અપેક્ષાએ જ અપાયા પગમાતિશયમાં વર્તતા “અતિશય પરની સફળતા છે. તે ઉપરાંત એ અરિહંત પરમાત્માએ પ્રવર્તાવેલા ધર્મતીર્થનું અવલંબન લીધા બાદ પિતાના આત્મકલ્યાણની ભાવના સાથે વિશ્વવર્તિ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy