________________
દ્રવ્યદયા અને ભાવદયા
૧૭૫
અવશ્ય હતું એમ છતાં ભાવદયાની અપેક્ષાએ દ્રવ્યદયાનું પ્રાધાન્ય વધુ પ્રમાણમાં લેવાથી એકજ ભાવમાં ચક્રવર્તી પણું તેમજ ભાવસાધુપણું પ્રાપ્ત થાય તેવું પુણ્યાનુબંધી પુણ્ય કર્મ ઉપાર્જન કર્યું હતું અને તે કારણે ત્રેવીસમાં પ્રિય મિત્રના ભવમાં ચક્રવતી પણું તેમજ ચૌદરત્ન અને નવનિધાન પ્રાપ્ત થયા, તેને લાયક વિપાકેદય શરૂ થયે હતે. - પંદર કર્મભૂમિમાં ચકવતઓ
પાંચ ભરત તથા પાંચ ઐરવત એમ દશ ક્ષેત્રમાં એક અવસર્પિણ તથા એક ઉત્સર્પિણી દરમ્યાન કુલ બાર-બાર ચક્રવર્તીઓ થાય છે અને પાંચ મહાવિદેહમાં જેમ તીર્થ કર ભગવંતેનું એછી વધુ સંખ્યામાં અવશ્ય વિદ્યમાનપણું હોય છે, તે પ્રમાણે ચક્રવર્તીએ પણ જઘન્ય-મધ્યમ અથવા ઉત્કૃષ્ટ સંખ્યામાં અવશ્ય વિદ્યમાન હેય છે. ભગવાન મહાવીર પ્રભુના આત્માને પાંચ ઐરાવતક્ષેત્રે પૈકી કેઈપણ ક્ષેત્રનું ચક્રવર્તીપણું પ્રાપ્ત થયું નથી પણ મહાવિદેહ ક્ષેત્રની બત્રીશ વિ પૈકી એક વિજયના છ ખંડના સ્વામી તરીકે ચકવર્તી પણાને વૈભવ પ્રાપ્ત થયેલ છે. પંદર કર્મભૂમિ પૈકી કેઈપણ કર્મભૂમિમાં ઉત્પન્ન થનાર ચક્રવર્તીના જીવનમાં ચકરત્ન વગેરે ચૌદ રત્ન અવશ્ય પ્રાપ્ત થાય છે.