SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રમણ ભગવાન મહાવીર રાણીએ પુત્રરતનને જન્મ આપે, ધનંજય રાજાએ પુત્રને જન્મપ્રસંગ ઘણું ઉલ્લાસથી મહત્સવ સાથે ઉજવે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની પરમકલ્યાણકારી ભક્તિના મંગલ પ્રવાહ સ્થળે સ્થળે શરૂ થયા, દીન-દુઃખીયાને વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં દાન દેવાયાં અને કેદખાનામાં વર્તાતા ગુન્હેગારને બંધનમુકિત આપવામાં આવી. તેમજ યોગ્ય સમયે પુત્રરત્નનું પ્રિય મિત્ર એવું નામાભિધાન કરવામાં આવ્યું. જન્મ-જન્માંતરની આરાધનાના કારણે બાલ્યવયમાં જ આત્મધર્મના માર્ગને પિષણ આપનાર અનેક વિદ્યાઓમાં પ્રિય મિત્ર પારંગત થયા. અનુક્રમે યૌવનવય પ્રાપ્ત થતાં માતા-પિતાએ તેમને રાજ્યગાદી અર્પણ કરી અને ત્યારબાદ રાજા ધનંજય પિતાની રાણી ધારિણી સાથે સંસારથી નિર્વેદ પામી સંયમ ગ્રહણ કરવા પૂર્વક મુક્તિના પવિત્ર પંથે ચાલી નીકળ્યા. પ્રાચીન કાળમાં આર્યાવર્તની ભૂમિ ઉપર અધ્યાત્મવાદની પ્રબળતા આજે ચારે ય તરફ જડવાદનું વાતાવરણ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું જાય છે. ભૌતિક સુખનાં સાધનની પ્રાપ્તિ તરફ આજનું મોટા ભાગનું માનવજગત દોટ મુકી રહ્યું છે અને પરિણામે આજના વિશ્વમાં બહુલતાએ સર્વત્ર અશાંતિ-અસંતોષ સિવાય ભાગ્યે જ બીજી વાત દષ્ટિગોચર થાય છે. પ્રાચીન કાળમાં માનવ જગત માનવતાથી સભર હતું, માનવ જીવનમાં ત્યાગ-વૈરાગ્ય અને અધ્યાત્મવાદનાં
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy