SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમે ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ ૧૦૭ અને એ બળ વડે મારે ઉપહાસ કરનાર વિશાખાનંદીને બદલે લઈ શકું.” સંયમ અને તપ એ મોક્ષસાધક શુદ્ધધર્મ હતો, એમ છતાં પૂર્વોકત નિયાણાની આવશભરી અનિષ્ટ વૃત્તિએ એ સંયમ તપને વિશિષ્ટ બલપ્રાપ્તિ દ્વારા દુર્ગતિના સાધન રૂપ બનાવી દીધા. આ વાત તે પ્રાસંગિક છે. મૂળ વાત તે એટલી છે કે જીવનમાં કઈ પણ પ્રકારનાં વર્તમાન સુખની અનુકૂળતાનું પણ મુખ્ય કારણ ધર્મ સિવાય કંઈ જ નથી. વાસુદેવને રાજ્યાભિષેક ત્રિપૃષ્ટવાસુદેવ અનુક્રમે પિતનપુર નગરમાં આવી પહોંચા. નગરની પ્રજાએ પિતાના માલિક રાજાધિરાજનો દબદબાભયે નગરપ્રવેશ કરાવ્યું. રાજમહેલમાં પહોંચતા રાજસભાના મધ્યભાગે રહેલ મણિરત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર વાસુદેવ બિરાજમાન થયા. મહામંત્રીશ્વર, નગરશેઠ, સેનાધિપતિ વગેરે અધિકારી વર્ગે એમને વિધિપૂર્વક રાજ્યાભિષેક કર્યો અને દેએ પણ એ શુભકાર્યમાં યથાવિધિ સાથે આયે. અચલકુમારને બલદેવ તરીકે અભિષિકત કરવામાં આવ્યા. આ પ્રમાણે વાસુદેવ- બલદેવ એ ઉભય બંધુબેલડીની નિશ્રામાં પ્રજાજને આનંદથી પિતાનો સમય પસાર કરવા લાગ્યા. પિતનપુરના પરિસરમાં ભગવાન શ્રેયાંસનાથ ત્રિપૃષ્ઠવાસુદેવ વર્તમાન અવસર્પિણમાં થનારા નવ વાસદે પકી પ્રથમ વાસુદેવ હતા. એ અવસરે વર્તમાન
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy