________________
ઉપદ્રવોથી મુનિઓના ધ્યાનનો ભંગ થયો. તેમને આ બધું સાંભળીને લોકો ઉપર દ્વેષ પેદા થયો. લોકો શાંત ન થવાથી તેમને ક્રોધ આવ્યો. રૌદ્રધ્યાન પેદા થયું. ગુસ્સામાં ધમધમતા તેઓ બોલવા લાગ્યા,
“વર્ષ મેવ!VIRાય, વિનાનિસપર્શ વા
नित्यं मूशलधाराभि - र्यथा रात्रौ तथा दिवा ॥ હે વાદળ! કુણાલા નગરીમાં તું વરસ ! અને તે પણ પંદર દિવસ સુધી લગાતાર વરસ. મુસલધાર વરસ. રાત્રે પણ વરસ ને દિવસે પણ વરસ.”
આટલું કહેવાતાં જ નગરમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. આખું નગર જળબંબાકાર થઈ ગયું. નગરમાં પૂર ઉમટ્યા. નગરજનો પણ તેમાં તણાવા લાગ્યા. વહેતાં પાણી નગરની બહારના પેલા નાળામાં આવ્યા. બંને મુનિઓને તે પાણીના પ્રવાહો ખેંચી ગયા. અશુભ અધ્યવસાય અને રૌદ્રધ્યાનમાં ધમધમતા તે મુનિઓ તે પ્રવાહોમાં તણાઈને ડૂબી ગયા. તેમના દ્રવ્યપ્રાણો તો ગયા, પણ સાથે સાથે તેમના ભાવપ્રાણો પણ ખતમ થયા. બંને રીતે તેઓ ડૂબી ગયા. આવા આખા નગર ઉપરના ક્રોધના અધ્યવસાય યુક્ત હિંસાનુબંધી રૌદ્રધ્યાનના પ્રભાવે મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયા. સાધુપણાની તમામ સાધના ગુમાવી બેઠા. હાથે કરીને આત્માનું ભયાનક અહિત કરી બેઠા.
આદિ અપધ્યાનથી મેઘવૃષ્ટિ કરાવીને ક્ષમાદિ રહિતપણે આખા નગરને ડૂબાડીને પોતે પણ ડૂળ્યા અને આવા અનર્થદંડથી નરકગતિ પામ્યા.
હે માનવ! તારે તો મુનિ બનીને મોક્ષે જવાનું છે, પણ જ્યાં સુધી તું મુનિ ન બને ત્યાં સુધી મુનિ બનવાની ભાવના સાથે શ્રાવક તો બન. તે માટે આ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૧ - ૨ બરોબર વાંચીને સમજી લે. પછી પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શન વિજયજી મ. સાહેબ લિખિત બાર 9ત અને શSજ્ય આરાધના પુસ્તિકા મેળવીને તેમાં જરુરી વિગતો ભરીને નાણ સમક્ષ બાર વ્રત
ઉચ્ચરીને જલ્દી શ્રાવક બન.
૯૦ = વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨