SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતકાય છે, તેમ સમજવું. તેમાં રહેલાં અનંતાજીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરવો. ભોજનાદિમાંથી તેનો ત્યાગ કરવો. (૧) જેની નસો, સંધિઓ અને ગાંઠો ગુપ્ત હોય (૨) જેને ભાંગતાં સરખા ટૂકડા થાય અને (૩) જે છેલ્લાં પછી પણ વાવતાં ફરી ઉગે તે સાધારણ વનસ્પતિકાય એટલે કે અનંતકાય કહેવાય. તેના એક શરીરમાં એકી સાથે અનંતાજીવો હોય છે. આહાર - શ્વાસોશ્વાસ વગેરે બધું તે બધા જીવો સાથે કરે છે. અનંત દુઃખ તેઓ અનુભવે છે. આવા અનંતાજીવોની રક્ષા કરવા અનંતકાયનો ત્યાગ કરી દેવો જોઈએ. આપણું પેટ કાંઈ કબ્રસ્તાન નથી કે તેમાં અનંતાજીવોને જીવતાં ને જીવતાં પધરાવી દેવાય ! ના, આપણા જેવા માનવભવને પામેલા જીવોને તે જરાય શોભતું નથી. અરે ! જે ઘરમાં આવા અનંતકાય રૂપ કંદમૂળ રંધાય છે, તે ઘરને પણ અન્ય શાસ્ત્રોમાં સ્મશાન સમાન ગણાવ્યું છે. "यस्मिन् गृहे सदान्नार्थं कन्दमूलानि पच्यन्ते । ન માનતુત્યંત ક્ષ, પિતૃ: પરિવર્જિતમ્ ” “જેના ઘરમાં ખાવા માટે કંદમૂળ રંધાય છે, તેનું ઘર સ્મશાન જેવું છે. પિતૃઓ પણ તેના ઘરને ત્યજી દે છે.” અનંતકાયમાં બધા કંદમૂળનો સમાવેશ થઈ જાય છે. આ કંદમૂળ જમીનની અંદર ઉગે છે. ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી. સૂર્યનો પ્રકાશ ન પહોંચી શકવાના કારણે તેમાં અનંતાજીવો ઉત્પન્ન થઈ જાય છે. માટે કંદમૂળને ખાવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો કે મગફળી પણ જમીનની અંદર ઉગે છે. તેને પણ સૂર્યપ્રકાશ મળતો ન હોવાથી તેમાં પણ અનંતાજીવો ઉત્પન્ન થવાની શક્યતા છે, પણ તેમાં પેદા થતું તેલ તેમાં અનંતા જીવોને ઉત્પન્ન થવા દેતું નથી. તેથી મગફળી અનંતકાય ગણાતી નથી. તેનો કંદમૂળમાં સમાવેશ થતો નથી. મગફળી તથા સીંગતેલ અભક્ષ્ય ગણાતા નથી. લસણમાં તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાથી તે અનંતા જીવોને ઉત્પન્ન થતાં અટકાવી શકતું નથી. તેથી ન ખવાય. આદુ, હળદર વગેરે જમીનમાં ઉગતાં હોવાથી તથા તેમાં તેલ ન હોવાથી અનંતકાય છે. પણ તે ઉગ્યા બાદ, કુદરતી રીતે સૂકાઈ ગયા પછી અચિત્ત (જીવ વિનાના) બની જાય છે. વળી તેનો સ્વાદ માટે ઉપયોગ થતો નથી પણ દવા માટે ઉપયોગ થાય છે. માટે સૂકાયેલા હળદર તથા સુંઠ વાપરવામાં આવે છે. સૂકાઈ ગયેલી બટાકાની કાતરી વગેરે શરીરને જરૂરી નથી. ખાતી વખતે પુષ્કળ Tags પદ આ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૨
SR No.006021
Book TitleVrat Harie Guru Sakh Part 02
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherAkhil Bharatiya Sanskriti Rakshak Dal
Publication Year
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy