________________
શશ લો
જન્મેલા બાળકને મારી નાખતી હતી. તેણે તેને અટકાવી “અરે ! આ બાળકની હિંસા કેમ કરે છે?"
ચંડાળણી: "શું કહ્યું? આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારે તમારા મિત્ર મોત પામ્યા. ઘરમાં ગરીબાઈ આવી. જીવાડીને શું કરું?”
ગુણસુંદરે તેને પુષ્કળ ધન આપીને બાળકને બચાવી લીધો.
પછી, તે ઘરે આવ્યો. નવા જન્મેલા પેલા ભાણીયાએ તેને કહ્યું, “કેમ મામા! તમારા સવાલનો જવાબ તો તમને મળી ગયો ને?”
ગુણસુંદર: "ના, મને જવાબ નથી મળ્યો."
બાળક : "મામા ! સાંભળો ! તે થાવર ચંડાળનો જીવ હું જ છું. તમારા જેવા સાધર્મિકની ભક્તિ કરવાથી અને વાસી ભોજન વગેરે અભક્ષ્ય નહિ ખાવાનો નિયમ લેવાથી હું ચાર કોટી દ્રવ્યનો સ્વામી થયો છું. તેમાં પણ મેં જે વાસી ભોજન ખાવા રૂપ વિરાધના કરી, તેથી શૂળના રોગની પીડા પામ્યો હતો.
જ્યારે તમારા બનેવી કંજુસ અને લોભી હોવાથી તથા વાસી ભોજન ખાતા હોવાથી મરીને થાવરચંડાળના ત્યાં જ પુત્ર તરીકે જન્મ્યા છે, જેમને તમે હમણા મરતા બચાવ્યા છે. તમે પણ જો તમારું હિત ઇચ્છતા હો તો વાસી ભોજન વગેરે તમામ અભક્ષ્યોનો ત્યાગ કરવાનો આજથી જ નિયમ લઈ લો.
ગુણસંદરે પણ તરત નિયમ લઈ લીધો. ઘરે આવીને માતાને બધી વાત કરી. ગુરુમહારાજ પાસે જઈને પૂછ્યું કે, “થાવર ચંડાળના ત્યાં જવાથી મને વાસી. ભોજનના દોષો તો જાણવા મળ્યા પણ નાના બાળકને વાચા ક્યાંથી આવી?”
ગુરુમહારાજે કહ્યું. "થાવર ચંડાળે અંત સમયે પોતાના મિત્ર વ્યંતરદેવને પૂછેલું કે, “મારા મિત્ર ગુણસુંદરને જવાબ અપાયો નથી તો મારે શું કરવું?” ત્યારે દેવે કહ્યું. "તું પેલા કંજુસશેઠના ત્યાં જન્મીશ ત્યારે હું તારા મુખમાં પ્રવેશીને તેને જવાબ આપીશ. "આથી બાળક બંતરની સહાયથી બોલ્યો હતો.
પછી ગુણસુંદર પણ શ્રાવક જીવન સ્વીકારીને છેલ્લે સાધુ બનીને સ્વર્ગમાં ગયો. આ પ્રસંગ જાણ્યા પછી સૌએ બાવીસ અભક્ષ્યોનો ત્યાગ કરવો જોઈએ.
૩ર અનંતકાય: એક શરીરમાં અનંતા જીવો હોય તેને અનંતકાય કહેવાય. અનંત = અનંતા જીવો. કાય = શરીર. અનંતા જીવોનું એક શરીર તે અનંતકાય.
આપણે ખાવા માટે જીવવાનું નથી પણ જીવવા માટે ખાવાનું છે. જો ભોજન ન કરીએ તો જીવી ન શકાય. જો જીવન ન રહે તો ધર્મારાધના શી રીતે થાય? કર્મક્ષયની સાધના શી રીતે થાય? મોક્ષની પ્રાપ્તિ શી રીતે થાય? માટે ભોજન કરવું જરૂરી તો છે, કાર પર આ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨