________________
૧૨
પ્રત્યાખ્યાન ભાષ્ય.
વા સ્વાદિમ પદાર્થના રજકણા મિશ્ર થયેલા હોય તેા કારણસર તેવું લેખકૃત પાણી પીવાથી પણ પચ૦ ના ( તિવિહાર ઉપવાસાર્દિકના ) ભંગ ન ગણાય, તે કારણથી ઝેવેન વા આગાર રાખવામાં આવે છે. એ દ્રાક્ષાદિકનાં પાણી ભાજનમાં રાખવાથી ભાજનને લેપવાળુ-ચીકણુ' કરે છે માટે એ પાણીને શાસ્ત્રમાં ‘“ લેપકૃત્” ( લેપ-ચીકાશ કરનારાં ) કહ્યાં છે.
તથા શુદ્ધ પાણીના અભાવે કદાચ કારણસર સેવીર-કાંજી ( છાશની આછ ) ઇત્યાદિ અલેપટ્ટ પાણી મળે તેા તેવું પાણી ( કાંજી વિગેરે ) પીવાથી તિવિહાર ઉપવાસાદિ પ્રચ૰ ના ભંગ ન થાય તે કારણથી અહેવેળવા આગાર રાખવામાં આવે છે. કાંજી વિગેરેનું પાણી જે ભાજનમાં રહ્યું હેાય તે ભાજનને અલેપ રાખે છે, એટલે તે ભાજન ચીકાશવાળું થતું નથી માટે કાંજી વિગેરેને અલેપકૃત પાણી કહ્યું છે. ( અહિં અલેપ એટલે અલ્પ લેપ એવા અ સભવે છે ).
તથા અચ્છ=નિર્મળ જળ એટલે ઉષ્ણ જળ કે જે ત્રણ ઉકાળા વડેજ ઉકાળેલુ હાય તે સર્વથા અચિત્ત થાય છે, તે પાણી પીવાથી તિવિહાર ઉપવાસાક્રિકનો ભગ ન થાય તે કારણથી અòળ વા આગાર કહેવામાં આવે છે. [તિવિહારમાં ખનતા સુધી આજ પાણી પીવાનું હોય છે, અને શેષ પાંચ આગારવાળાં પાણી તે અપવાદથી કારણસર પીવાનાં હેાય છે. તેમાં પણ ગૃહસ્થને તે વિશેષતઃ ઉષ્ણજળ પીવું જોઇએ, માટે શેષ પાંચ આગાર પ્રાયઃ ગૃહસ્થ માટે નહિ, પરન્તુ વિશેષતઃ
૧ વા શબ્દની સાકતા છ આગારના પન્તુ કહેવાશે.
*કાચુ પાણી પ્રાયઃ ઘણું સચિત્ત અને થાડુ' અચિત્ત એવું મિશ્ર હાય છે. એકવાર ઉકાળા આવેલું પાણી તેથી ઘણું અચિત્ત, બે ઉકાળા આવેલું પાણી તેથી પણ અતિઘણુ' અચિત્ત ( અને અલ્પ ચિત્ત ) એવું મિશ્ર હાય છે, અને ત્રણ ઉકાળા આવેલું પાણીજ સર્વથા અચિત્ત થાય છે માટે વ્રતધારીએએ ત્રણ ઉકાળા આવેલું પાણી પીવું, જેવું તેવું ઉકળેલું પાણી વ્રતમાં દૂષણવાળુ છે.