SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ अंगुलिकोस - अङ्गुलिकोश (पुं.) (આંગળીમાં પહેરાતો ચામડાનો કે લોખંડનો પાટો, અંગુલી-ત્રાણ, અંગોઠડી) આંગળીઓમાં તલવાર આદિ શસ્ત્રની મજબૂત પક્કડ રાખવા કે આંગળીઓની રક્ષા માટે યુદ્ધમાં લડવૈયાઓ ચામડાની કે લોખંડની અંગોઠડી પહેરતા હતા. તેમ જિનમંદિરના પ્રતિષ્ઠાદિ શુભકાર્યોમાં શ્રાવકને નિર્વિઘ્નપણે ગતિ હેતુ ગુરુ ભગવંતો દ્વારા અભિમંત્રિત રક્ષાપોટલી આપવામાં આવે છે. અંજનિ (ને) | - કુન્નીયા () (આંગળીનું ઘરેણું, અંગૂઠી, વીંટી) વીંટી જેમ હાથનું બાહ્ય ઘરેણું છે તેમ દાન એ હાથનું આત્યંતર ઘરેણું છે. કદાચ વીંટી ન હોય તો ચાલી શકે, પણ દાન વગર મનુષ્યની ઋદ્ધિ માટી સમાન વ્યર્થ છે. શાસ્ત્રવચન યાદ રાખજો, ગૃહસ્થ જીવનની સાર્થકતા દાનધર્મથી જ છે. अंगुलिप्फोडण - अङ्गुलिस्फोटन (न.) (આંગળી વાળીને કડાકા ફોડવા તે, આંગળીના ટચાકા વગાડવા તે) સામાયિકાદિ ધર્મારાધના કે વ્યાખ્યાન શ્રવણ દરમ્યાન જો આપણે જાણતા કે અજાણતા આંગળી વાળીને કડાકા ફોડીએ તો તે પણ એક જાતનો પ્રમાદ છે. અરુચિનું દ્યોતક પણ છે. સામાયિકાદિ આરાધનામાં અપ્રમત્તભાવ-એકાગ્રતાને અત્યંત આવશ્યક માનેલી હોઇ તેને દોષરૂપ ગણી છે. તેનાથી અન્યને પણ ચિત્ત વિક્ષેપ થતો હોવાથી આવા પ્રમાદનું સેવન કરતાં ચેતજો. અંતિમ મુહા - કુતિપૂ(સ્ત્રી.) (કાયોત્સર્ગમાં આંગળીના વેઢા ગણવા કે સંકેત માટે આંખની ભ્રમર હલાવવાથી લાગતો દોષ, અંગુલિભૂ દોષ) કાયોત્સર્ગમાં નવકાર કે લોગસ્સ આદિ સૂત્રો આંગળીના વેઢા દ્વારા ગણવાથી કે કંઈક સંકેત જણાવવા માટે ભૂકટી હલાવવાથી કે આંખને જ્યાં-ત્યાં ફેરવવાથી અંગુલિભૂ નામનો દોષ લાગે છે. એકાગ્રચિત્તે રહી આંગળીના વેઢાથી ગણ્યા વગર, સ્થાપનાજીની સામે નજર કરીને અથવા નાકના અગ્રભાગ ઉપર નજર સ્થિર કરીને કાઉસગ્ગ કરવો જોઈએ. મુનિ (ની) વિજ્ઞા - મહુતિ (ની) વદ (સ્ત્રી.) (શ્રાવસ્તી નગરીમાં ભગવાન બુદ્ધ દ્વારા પ્રકાશિત એક મહાપ્રભાવિક વિદ્યા) ગંગોવંગ - 3 કોપાક(ન.) (મસ્તક, આંગળી, હાથ આદિ શરીરના અવયવો, શરીરના અંગોપાંગ) જેમ મસ્તક, હાથ, પગ આદિ શરીરના મુખ્ય આઠ અવયવોને અંગ કહેવામાં આવ્યા છે અને તેના પેટા-અંગરૂપ આંગળી, રેખા, કેશ, નખ, હોઠ આદિને ઉપાંગ તરીકે જણાવેલા છે તેવી રીતે આગમગ્રંથોમાં અગિયાર અંગ અને તેના બાર ઉપાંગો કહેલાં છે. अंगोवंगणाम - अङ्गोपाङ्गनामन् (न.) (શરીરના અવયવોના નિર્માણમાં કારણભૂત કર્મ વિશેષ, નામકર્મની એક પ્રકૃતિ, અંગોપાંગ નામકર્મ) વાત્મા દ્વારા શરીરના નિર્માણ સ્વરૂપે ગ્રહણ કરેલા કર્મપદગલોના કારણે દરેક જીવોના અંગોપાંગ નિર્માણ પામે છે. તેને અંગોપાંગ નામકર્મ કહેવાય છે. આ કર્મના અપ્રશસ્ત ગાઢ ઉદયથી અંગોપાંગો ઓછા અથવા ખોડ-ખાંપણવાળા થાય છે અને પ્રશસ્તપણે બાંધેલા કર્મના ઉદયથી પ્રમાણોપેત સુંદર પ્રાપ્ત થાય છે. અંગોપાંગ નામકર્મના ઔદારિક, વૈક્રિય અને આહારક એમ કુલ ત્રણ ભેદ વ - ગીજી (કું.) (ગમન કરવું તે, જવું તે, ગતિ-ગમન) જીવ જ્યાં સુધી સંસારમાં રહેલો છે ત્યાં સુધી તે એક સ્થાને વધારે સમય સ્થિર રહી શકતો નથી. તેને સતત ગમનશીલ રહેવું પડે છે. પછી તે એક જગ્યાએથી બીજી જગ્યા હોય કે એક ભવમાંથી બીજા ભવમાં ગમન હોય. એકમાત્ર સિદ્ધ ભગવંતો જ ગતિરહિત છે. *માઝ (પુ.) (આગમન, આવવું તે)
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy