SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મોષUT - અયોધન (કું.) (હથોડો, લોખંડનો ઘણ) જેમાં વાયુનું પણ આવાગમન ન થાય તેવા અત્યંત ઘન લોહમય ઓરડામાં પણ યોગ્ય સંયોગ મળતાં જીવોની ઉત્પત્તિ તથા મૃત્યુ થઈ શકે છે. કારણ કે જગતના કોઈપણ પદાર્થ દ્વારા આત્માની ગતિ આગતિ રોકી શકાતી નથી. અમથ - ગોમય (ત્રિ.). (લોઢાનો વિકાર, લોખંડથી બનેલા અસ્ત્ર-શસ્ત્ર વગેરે) કષાયવિજય દ્વારા જેનું ચિત્ત આત્મરમણતામાં લીન બન્યું છે અને તેના કારણે પ્રશમતાનું સામ્રાજય હસ્તગત થયું છે તેવા મહામુનિઓને માટે લોઢું કે સોનું, મણી, માણેક કે માટીનું ઢેકું બધું એકસમાન જ હોય છે. अओमुह - अयोमुख (त्रि.) (જેનો અગ્રભાગ લોઢા જેવો મજબૂત હોય તે પક્ષી આદિ 2. અયોમુખદ્વીપનો વાસી) अओमुहदीव - अयोमुखद्वीप (पुं.) (અયોમુખદ્વીપ વિશેષ) ગોકર્ણનામક અંતરદ્વીપથી દક્ષિણ અને પશ્ચિમની વિદિશામાં પાંચસો યોજનાના અંતર પછી પાંચસો યોજનની લંબાઈ-પહોળાઈ અને પંદરસો એક્યાસી યોજનાના વિસ્તારવાળો અને પદ્મવરવેદિકાવનથી મંડિત અયોમુખ નામનો અંતદ્વીપ છે. ઍવા - () (રત્નવિશેષ, શુક્લમણિ વિશેષ 2. પદ્માસનસ્થના ખોળારૂપ આસન વિશેષ, ખોળો 3. સંખ્યાદર્શક ચિહ્ન 4. એકથી નવની સંખ્યા 5. દશ્યકાવ્યનો એક ભેદ 6. નિશાની 7. ચંદ્રના બિંબમાં રહેલો મૃગનો આકાર વિશેષ) માની મમતામાં યા ખોળામાં જે હુંફ અને વાત્સલ્ય પ્રાપ્ત થાય છે તે ધન-દોલત, ગાડી-બંગલા આદિ દુનિયાની કોઈપણ ભૌતિક વસ્તુથી પ્રાપ્ત થતું નથી. તેથી જ કહેવત છે કે “મા તે મા બીજા બધા વગડાના વા' જફંડ - મક્કાઈકુ () (રત્નપ્રભા નરક પૃથ્વીનો એકરત્નમય ખરકાંડનો ચૌદમો ભાગ) ઠાણાંગસુત્રમાં કહ્યું છે કે, રત્નપ્રભા નામક પ્રથમ નરક ભૂમિના ખરકાંડનો સો યોજન જાડો ચૌદમો ભાગ છે તેને અંકકાંડ કહેવાય છે અને તે એકરત્નમય છે. अंककरेल्लुअ - अङ्ककरेलुक (न.) (પાણીમાં થનારી એક જાતની વનસ્પતિ, વનસ્પતિવિશેષ). વનસ્પતિઓની દુનિયા માત્ર પૃથ્વી પર જ છે એવું નથી. મહાસમુદ્રોના પેટાળ સુધી પણ અનેકવિધ વનસ્પતિઓની દુનિયા હવે તો આપણે ટી.વી. ચેનલોના માધ્યમથી નજરે નિહાળી શકીએ છીએ. આ બધા પદાર્થોનો યથાવસ્થિત અવબોધ આગમોમાં સુંદર રીતે વર્ણવાયો છે. ચંદ્ર-મસ્થિતિ (સ્ત્રી.) (અંકરેખાઓની વિચિત્ર રીતે સ્થાપના જેમાં થાય છે તે 64 કલામાંથી ૪૩મી કલા) દુનિયામાં એક રેખાની વિવિધ સ્થાપનાથી અનેક પ્રકારના ગાણિતિક વ્યવહાર થાય છે. શાસ્ત્રોમાં પણ વિવિધ યંત્ર તથા વિશિષ્ટ ગ્રંથ માત્ર અંકરચનાઓના માધ્યમથી થયા છે. જૈનધર્મનો ભૂવલય ગ્રંથ સંપૂર્ણ ગણિતમય અદૂભુત ગ્રંથ છે. સંવUT - સન (જ.) (બળદ વગેરે પશુને ગરમ સળિયાથી આકવા તે, શિયાળના પગના આકારે નિશાન કરવું તે) જેમ દૂરથી પણ ધુમાડો જોવાથી ત્યાં અગ્નિ હોવાનું નક્કી થાય છે. તે પ્રમાણે જ વ્યક્તિ માત્ર પોતાના કુળથી ઉચ્ચ કે નીચ કલીન થતો નથી, પરંતુ બીજા લોકો પ્રત્યેનો વ્યવહાર જ તેની કુલીનતાનો દ્યોતક છે. 23
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy