SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કપાસ - તિપાર્ક (પુ.) (આ અવસર્પિણીમાં થયેલા ઐરાવતક્ષેત્રના તીર્થંકરનું નામ, તેઓ આ ચોવીસીમાં ભરતક્ષેત્રમાં થયેલા શ્રીઅરનાથ પ્રભુના સમયમાં જ થયા હતા.) अइपासंत - अतिपश्यत् (त्रि.) (અસાધારણ રીતે જોતો, અતિશયપણે જોતો) જેને પોતાના ભવિષ્યનું જ્ઞાન નથી એવા જયોતિષીઓ પર વિશ્વાસ રાખીને તેમણે કહેલી વિધિઓ વગર વિરોધ કરીએ છીએ. જ્યારે આપણા પરમ હિતચિંતક સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલા આચારોનું આપણે કેટલું પાલન કરીએ છીએ? જરા વિચારી જોજો . સફપ્રમાણ - અતિપ્રમાT () (પ્રમાણ રહિત, પ્રચુર પ્રમાણ, પ્રમાણ-માપથી વધારે હોય તે). લોકોક્તિમાં કહેવાયું છે કે, એક વાર જમે તે આચારી, બે વાર જમે તે વ્યવહારી, ત્રણ વાર જમે તે લોકાચારી અને ચાર વાર જમે તે ભિખારી. આપણે વિચારવા જેવું છે કે, આપણો નંબર શેમાં છે? अइप्पसंग - अतिप्रसङ्ग (पुं.) (ઘનિષ્ઠ સંબંધ, અતિશય પરિચય કરવો તે 2. અતિવ્યાપ્તિ) જેમ અત્તરનો સંગ સતત સુવાસ પ્રસરાવે છે અને વિષ્ઠાનો સંગદુર્ગધ સિવાય બીજું કાંઈ નહીં. તેમ સજ્જનોનો પરિચય સદ્ગુણોની મહેક પ્રસરાવે છે અને દુર્જનોનો પરિચય દૂષણ સિવાય કાંઈ વિસ્તારી શકતો નથી. મવન - તિવન (ત્રિ.). (આવતી ચોવીસીના આઠમા વાસુદેવનું નામ 2. દેવ-મનુષ્ય-તિર્યંચના બળને ઓળંગી ગયેલું, અત્યંત બળવાન 3. ભરત ચક્રવર્તિનો પ્રપૌત્ર 4. અસ્ત્રવિદ્યાનો ભેદ 5. મોટું સૈન્ય 6. ઋષભદેવ પ્રભુના પૂર્વના ચોથા ભવના પિતામહનું નામ) તિર્યંચ, મનુષ્ય અને દેવોથી પણ વધુ બળ જેનું હોય તે અતિબલ કહેવાય છે. વેયાવચ્ચ આદિ વિશિષ્ટ આરાધનાથી થયેલા વીર્યંતરાય કર્મના પ્રકૃષ્ટ ક્ષયોપશમથી આવી શક્તિ પ્રાપ્ત થાય છે. તીર્થકર, ચક્રવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ મહાપુરુષો આ પ્રકારના મહાબળના ધારક હોય છે. અફવદુર - તિવદુ (જ.) (અત્યન્ત ભોજન, પ્રમાણથી અધિક ભોજન) અવકુમો - તિવદુશમ્ (મ.) (પ્રમાણથી અધિક ભોજન કરવું તે, વારંવાર ખાવું તે, દિવસ મધ્યે ત્રણથી વધુ વાર ખાવું તે, અતિભોજન). પ્રમાણથી અધિક ભોજન કરનાર, ભોજન કરવા છતાં અતૃપ્ત રહેનાર અને દિવસમાં ત્રણવારથી વધુ વખત ભોજન કરનાર વ્યક્તિને અતિભોજી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં તો અતિ ભોજનનો નિષેધ કરેલો છે જ, પરંતુ આધુનિક વિજ્ઞાન પણ જણાવે છે કે અતિ માત્રામાં ભોજન લેવાથી જઠરાગ્નિ મંદ થવો, કબજિયાત, સ્થૂલ શરીર આદિ ઘણા પ્રકારની બિમારીઓ થાય છે. એટલે જ મહાપુરુષોએ શાસ્ત્રોમાંથી સારરૂપ વાતોને સામાન્ય માણસ પણ ગ્રહણ કરી શકે માટે સુભાષિત આદિ માધ્યમોથી કહી છે. ‘મ રવાના, મ રીના, નમ નાના” “ટ #o રવો નરમ, પાંવ ફ્રો રો રમ' ઇત્યાદિ. સમદ્ - સિમદ્ર (પુ.). (તંદલવૈચારિક પ્રકીર્ણક આગમની ટીકામાં વર્ણવેલો અતિભદ્રનામનો એક શ્રેષ્ઠિનો પુત્ર, જેણે સ્ત્રીના કંકાસથી પોતાના ભદ્રનામના ભાઈથી અલગ થઈને ગૃહાદિના ભાગલા કર્યા હતા.) અમદા - તિમલા (ત્રિ.) (અત્યંત કલ્યાણકારી, ભદ્રક) શ્રાવકના આવશ્યક ગુણોમાં અતિભદ્રનો પણ સમાવેશ થાય છે. ચંદનના સંપર્કમાં આવેલી વ્યક્તિને જેમ શીતળતા તથા સુગંધ પ્રાપ્ત થાય છે, તેમ અન્યને સહયોગી થવાની સતત ઈચ્છા તથા ઋજુ સ્વભાવથી શ્રાવકના સંપર્કમાં આવેલી વ્યક્તિને શાંતિ તથા સૌમ્યતાનો
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy