SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ મuથા - મજૂથન (ત્રિ.) (અલ્પધની, અલ્પમૂલ્યવાળું) સત્કાર્ય કરવા માટે વિપુલ ધન હોવું જરૂરી નથી, પરંતુ હૃદયના ભાવ વિપુલ હોવા જરૂરી છે. ધનવાન હોવા છતાં પણ કંજૂસાઈ વળગેલી હોય તો ધર્મમાર્ગે ધન વાપરવા માટેનું જરાપણ મન થતું નથી. જ્યારે અલ્પધની હોવા છતાં પણ મનમાં ઉદારતા વસી હોય તો જીવ યથાશક્તિ દાનધર્મનું આચરણ કરે છે. મમ્મણશેઠ અને શાલિભદ્રનો પૂર્વનો ભવ આનું સ્પષ્ટ ઉદાહરણ છે. अप्पपएसग - अल्पप्रदेशक (त्रि.) (અલ્પ પ્રદેશવાળા કર્મ, જેના પ્રદેશદળ ઓછા છે તેવું કર્મ આદિ) अप्पपज्जवजाय - अल्पपर्यायजात (न.) (ત્યજવા યોગ્ય તુચ્છ એવા ફોતરાં વગેરે) अप्पपरणियत्ति - आत्मपरनिवृत्ति (स्त्री.) (આલોચના દ્વારા સ્વ અને પરની નિવૃત્તિ કરવી તે) વ્યવહારસુત્રના પ્રથમ ઉદેશામાં કહેવું છે કે, સંયમી આત્મા ઉત્તમ ચારિત્રપાલન દ્વારા લોકો માટે એક આદર્શપાત્ર બને છે. તે જીવ જાગ્રતપણે સ્વયં દોષોમાંથી મુક્ત બને છે અને જેણે દોષો સેવ્યા હોય તેમને શાસ્ત્રાનુસાર આલોચના આપીને તેઓને દોષોમાંથી મુક્તિ અપાવે છે. આને શાસ્ત્રીય ભાષામાં આત્મપરનિવૃત્તિ કહેવાય છે. अप्पपरिग्गह - अल्पपरिग्रह (पुं.) (અલ્પ પ્રમાણમાં ધનધાન્યાદિ સામગ્રીનો સંગ્રહ કરનાર) લોકમાં માણસને ગ્રહો એટલી પીડા નથી પહોંચાડતા જેટલી તકલીફ પરિગ્રહ પહોંચાડે છે. માણસ જેમ જેમ પરિગ્રહ વધારતો જાય છે તેમ તેમ તેને લગતી પ્રત્યેક જવાબદારી અને ચિંતાઓ વધતી જાય છે. જ્યારે પરિગ્રહ જેમ જેમ ઓછો થતો જાય તેમ તેમ વ્યક્તિની ચિંતાઓ પણ ઓછી થતી જાય છે અને આત્મિક શાંતિનો અનુભવ પણ થાય છે. अप्पपरिच्चाय - अल्पपरित्याग (पुं.) (અલ્પ ત્યાગ, થોડો ત્યાગ) જિનધર્મની દરેક ક્રિયાઓમાં કોઇને કોઇ વિશિષ્ટ તત્ત્વ છૂપાયેલું હોય છે. શાસનની કોઇપણ પ્રક્રિયા નિરર્થક હોતી જ નથી. માતા પિતા જિનાલયમાં બાળક પાસે ભંડારમાં રૂપિયો નખાવે છે તો તેની પાછળ પણ કારણ રહેલું છે. 1. તેમ કરવાથી મનમાં સંસ્કાર પડે છે કે આ ધન હેય છે. તે છોડવાલાયક છે. અલ્પત્યાગનું પ્રતીક રૂપિયો છે. તથા 2. આ ધન સત્કાર્યમાં વાપરવું જોઇએ તેવી દાનભાવના ઉત્પન્ન થાય છે. મuપા - અન્યDIT (ત્રિ.) (જયાં કોઇપણ જીવ-જંતુ નથી તેવું સ્થાન, જીવાકુલરહિત ભૂમિ) મUપાસ () - અન્યWITTrશન(ત્રિ.) (અલ્પ પ્રમાણમાં જલ વગેરે પેય દ્રવ્ય પીનાર) અન્યપંsણ () - અન્યપિ ફાશિન(ત્રિ.) (મિતાહારી, અલ્પાહારી). ચરક સંહિતામાં ચરક ઋષિને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, વ્યક્તિએ સ્વસ્થ અને સુખી જીવન જીવવું હોય તો તેનો ઉપાય શું? ત્યારે તેમણે માત્ર બે શબ્દમાં જ જવાબ આપતા કહ્યું કે, ‘હિતમુળ,મિત મુદ્દ' જો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો હિતકારી આહાર લેવો અને અલ્પ પ્રમાણમાં આહાર લેવો. જે જીવો હિતાહારી અને મિતાહારી છે તેઓ જ સ્વસ્થ અને સુખી જીવન જીવી શકે છે. अप्पभक्खि (ण) - अल्पभक्षिन् (त्रि.) (અલ્પ ભોજન કરનાર, અલ્પાહારી) 464
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy