SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ () વિત્ત - પ્રવૃત્ત (ત્રિ.) (જ્યાં પ્રવૃત્તિનો અભાવ છે તે, પ્રવૃત્તિરહિત, તત્ત્વથી નિવૃત્તિ પામેલ) મા (5) વિત્તિ - પ્રવૃત્તિ (સ્ત્રી) (પ્રવૃત્તિનો અભાવ, મન-વચન-કાયાના ગાઢ વ્યાપારનો અભાવ) મા (5) સંસfMM - પ્રશંસનીય (ત્રિ) (પ્રશંસાને અયોગ્ય, સાધુ-સજ્જનો વડે પ્રશંસા કરવાને અયોગ્ય) જે વ્યવહારથી સંસ્કારોને અસર પડતી હોય, જેના દ્વારા લોકોની લાગણીઓ દુભાતી હોય તેવા આચરણને સજ્જન પુરુષો ક્યારેય કરતા નથી. અરે આચરવાની વાત તો દૂર રહી, તેવી પ્રવૃત્તિની તેઓ પ્રશંસા પણ નથી કરતા અને જે પ્રવૃત્તિ સજ્જનો વડે અપ્રશંસનીય હોય તેને વિવેકીજન કેવી રીતે આચરે ? અપ (પ) સટ્ટ - મuસા (ત્રિ.). (જે પરાભવ કરવાને અશક્ય હોય તે 2. સહન કરવાને અયોગ્ય). યુદ્ધમાં યોદ્ધાને તેનું બળ નહીં પરંતુ તેનું ઝનૂન જીત અપાવતું હોય છે. આત્મા પર અનાદિકાળથી કર્મોનું રાજ ચાલે છે. તેઓને પરાભવ પમાડવો ઘણો જ અશક્ય છે. પરંતુ જે દિવસે આત્માનું વીર્ય-પરાક્રમ હુરે છે ત્યારે તે આત્મપરિણામનું ઝનૂન પરાભવ કરવાને અશક્ય એવા કર્મોની સેનાને પળવારમાં તહસનહસ કરી નાંખે છે. મv () સપુરિસાણા - પ્રસહાપુરુષાનુગા (ત્રિ.) (જનો પરાભવ ના થઇ શકે તેવા પુરુષને અનુસરનાર) નવી વસ્તુની ખોજ કરવી લોઢાના ચણા ચાવવા બરોબર છે. તેમાં ઘણા બધા પુરુષાર્થ અને ધૈર્યની જરૂર પડે છે. જ્યારે તે વ્યવહૃત થઈ ગયા બાદ તેને અનુસરનારા માટે તેની પ્રાપ્તિ અત્યંત સરળ થઇ જાય છે. જૈનો આ ! ! પરમકૃપાળુ મહાવીર દેવે જેનો પરાભવ અશક્ય છે તેવા કર્મો પર અથાગ પુરુષાર્થ અને વૈર્યથી વિજય મેળવીને મોક્ષમાર્ગ ગોતી લીધો છે. ત્યારે પ્રભુએ ચીંધેલા માર્ગે ચાલનારા આપણા માટે તેની પ્રાપ્તિ એકદમ સરળ થઇ ગઇ છે. આપ (ખ) સન્થ - પ્રાપ્ત (ત્રિ.). (અશોભનીય 2. અપ્રશંસનીય 3. ગ્રહણ કરવા યોગ્ય ન હોય તે, અહિતકારી 4. બળ વદિ નિમિત્તે પ્રતિસેવના કરનાર) પસ્થિàa - Hપ્રશસ્તક્ષેત્ર (2) (ખરાબ ક્ષેત્ર 2. અગ્રાહ્ય ક્ષેત્ર-શરીરાદિ) अपसत्थदव्व - अप्रशस्तद्रव्य (न.) (અપ્રશંસનીય દ્રવ્ય, અસુંદર દ્રવ્ય, ખરાબ પદાર્થ) પૂર્વાચાર્ય ગીતાર્થ ભગવંતોએ જિનભવન નિર્માણના કેટલાક નિયમો બનાવેલા છે. તે નિયમાનુસાર બનેલ જિનમંદિર અભ્યદય માટે થાય છે. જિનાલય બનાવતા પૂર્વે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ આ ચારેયનું નિરીક્ષણ કર્યા બાદ જો પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્રાદિ હોય તો જિનભવનનું નિર્માણ કરવું અને જો અપ્રશસ્ત દ્રવ્યાદિ હોય તો તે સ્થાન જિનાલય બનાવવા માટે અયોગ્ય છે એમ જાણીને ત્યાં ભવનનું નિર્માણ કરવું નહીં. अपसत्थलेस्सा - अप्रशस्तलेश्या (स्त्री.) (અપ્રશસ્ત વેશ્યા, કૃષ્ણ-નીલાદિ અશુભ લેશ્યા) લેશ્યા એટલે મનના પરિણામ. કર્મગ્રંથમાં કુલ 6 વેશ્યા કહેવામાં આવેલી છે. 1. કૃષ્ણ 2. નીલ 3. કાપોત 4. તેજો 5. પદ્મ અને 6. શુક્લલેશ્યા. આ છમાંથી પ્રથમની કૃષ્ણાદિ ત્રણ લેશ્યા અશુભ કર્મોનો બંધ કરાવનાર અને ભવપરંપરા વધારનાર હોવાથી તેને અશુભ માનવામાં આવેલી છે. શેષ વેશ્યાઓને શુભ માની છે. अपसत्थविहगगतिनाम - अप्रशस्तविहगगतिनामन् (न.) (નામકર્મનો એક ભેદ, અશુભ વિહાયોગતિ નામકર્મ) 450
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy