SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ अपढमसमयउववण्णग - अप्रथमसमयोपपन्नक (पुं.) (જને ઉત્પન્ન થયે એકથી વધુ બે-ત્રણ સમય થયો હોય તે, એકાધિક-બે ત્રણ સમયમાં ઉત્પન્ન થયેલા નૈરયિક કે દેવપર્યતનો જીવ) નરકભૂમિમાં ઉત્પન્ન થનારા જીવો બે પ્રકારના છે. તેમાં એક પ્રથમ સમયમાં ઉત્પન્ન થનારા અને બીજા એકથી વધુ સમયમાં ઉત્પન્ન થનારા. એવી રીતે વૈમાનિકાદિ દેવો વિશે પણ સમજવું. આ પ્રમાણે ઠાણાંગસૂત્રના બીજા ઠાણના બીજા ઉદ્દેશામાં કહ્યું છે. अपढमसमयउवसंतकसायवीयरागसंजम - अप्रथमसमयोपशान्तकषायवीतरागसंयम (पुं.) (કષાય ઉપશમાવ્યાને જેને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તેવા ઉપશાન્ત કષાયવાળા વીતરાગ સંયમનો ભેદ). ઠાણાંગસૂત્રે આઠમા ઠાણમાં કહ્યા મુજબ: - જે જીવે એકથી વધુ સમયમાં ઉપશમ શ્રેણિમાં વર્તતા થકા વીતરાગ સંયમ પ્રાપ્ત કર્યું હોય તેવા આત્માને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગસંયમ કહેવામાં આવે છે. આને વીતરાગ એટલે રાગરહિત સંયમનો એક ભેદ પણ માન્યો છે. अपढमसमयएगिदिय - अप्रथमसमयैकेन्द्रिय (पुं.) (જે જીવને એકેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યો એકથી વધુ સમય થયા હોય તે) अपढमसमयक्खीणकसायवीयरागसंजम - अप्रथमसमयक्षीणकषायवीतरागसंयम (पुं.) (કષાય ક્ષય કર્યો-ક્ષપકશ્રેણીએ ચઢ્ય જેને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તેવું ક્ષીણકષાય વીતરાગ સંયમ, ક્ષીણકષાયક્ષપકશ્રેણી પ્રાપ્ત વીતરાગ સંયમ) ક્ષપક શ્રેણીએ ચઢેલા ભવ્યાત્મા શેષ રહેલ કષાયોને ખપાવીને અલ્પસમયમાં કેવળજ્ઞાન કેવળદર્શનને સંપ્રાપ્ત કરે છે. ત્યારપછી તે આત્મા ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે એમ સ્થાનાંગસૂત્રમાં વિસ્તૃત સમજણ સાથે કહેવામાં આવેલું છે. अपढमसमयसजोगिभवत्थ - अप्रथमसमयसयोगिभवस्थ (पु.) (સયોગિભવસ્થ થયે-તેરમે ગુણઠાણે ચડ્યું જેને એકથી વધારે બે ત્રણ સમય થયા છે તે, યોગિભવનો એક ભેદ) अपढमसमयसिद्ध - अप्रथमसमयसिद्ध (पुं.) (જેણે સિદ્ધપણું પ્રાપ્ત કર્યાને એકથી વધારે-બે ત્રણ સમય થયા છે તે, પ્રથમ સમય સિવાય બીજા ત્રીજા સમયના સિદ્ધપણાના પર્યાયમાં વર્તતા સિદ્ધ ભગવાન) अपढमसमयसुहुमसंपरायसंजम - अप्रथमसमयसूक्ष्मसंपरायसंयम (पुं.) (સૂક્ષ્મ સંપરાય સંયમ પ્રાપ્ત કર્યું જેને એકથી અધિક સમય થયા છે અર્થાત, દશમું ગુણસ્થાનક પ્રાપ્ત કર્યું જેને એકથી વધુ-બે ત્રણ સમય થયા હોય તે-સરાગ સંયમી, દશમાં ગુણસ્થાનક-સરાગ સંયમનો ભેદ) अपण्णविय - अप्रज्ञापित (त्रि.) (જેને જણાવવામાં ન આવેલું હોય તે, બેખબર હોય તે) મપત્ત - મપાત્ર (ત્રિ.) (અયોગ્ય, લાયક ન હોય તે, કુપાત્ર 2. ભાજન શૂન્ય, આધારરહિત). બીજાના સુખ સૌભાગ્યને જેઓનો સ્વભાવ સહન નથી કરી શકતો તેઓને શાસ્ત્રકારોએ અયોગ્ય સ્વભાવના, કુપાત્ર, લાયકાત વિનાના કહ્યાં છે. એટલે જ સમ્યગ જ્ઞાન પણ પાત્રને આપવાની વાત કરી છે. અપાત્રને જ્ઞાન પણ તેના અહિત માટે થાય છે. પ્રાપ્ત (ત્રિ.). (પામેલું નહીં, અપ્રાપ્ત, અલબ્ધ 2. પૂર્વમાં નહીં સાંભળેલું) પત્તનાત - પત્રનાત (ત્રિ.) (જેને પાંખ નથી આવી તેવું પક્ષીનું બચ્ચું, પાંખ વગરનું પક્ષીનું બચ્ચું) પક્ષી પોતાના નાના બચ્ચાને જન્મ આપી પાળી પોષીને મોટું કરે છે પરંતુ, જ્યારે તે બચ્ચાને પાંખો બરાબર ફૂટી જાય અર્થાતુ, પાંખ હલાવી આકાશમાં ઊડતું થવા સક્ષમ થઈ જાય છે ત્યારે તે ઊડીને અન્યત્ર જતું રહે છે. તેમ સ્વાર્થી વ્યક્તિ પણ પોતાની ક્ષમતા 438
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy