SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ મા (પ) વિક્રેત - પ્રતિવધ્યમાન (ત્રિ.). (કોઈ ઠેકાણે પ્રતિબંધ ન કરતો, રાગ-દ્વેષથી ન લેવાતો) વ્યવહારસૂત્રમાં જણાવ્યું છે કે, મુનિવરોનું જીવન સર્વત્ર અપ્રતિબદ્ધ અર્થાતુ, પ્રતિબંધ રહિત હોય છે. તેઓ ક્યાંય પણ રાગ કે દ્વેષથી બંધાતા નથી. સારું અનુભવીને રાગ નથી કરતા કે ખરાબ અનુભવીને દ્વેષ નથી આણતા. સર્વદા નિઃસંગપણે વિચરનારા હોય છે. મા (5) વિદ્ધ - મwતdદ્ધ (ત્રિ.) (પ્રતિબંધ-આસક્તિરહિત, અભિવૃંગ-રાગરહિત) પ્રશ્નવ્યાકરણસૂત્રના સંવરદ્વારમાં અને મહાનિશીથાદિ આગમગ્રંથોમાં મુનિને “સર્વત્ર અપ્રતિબદ્ધ રહેનાર' એવું વિશેષણ આપેલું છે. મુનિ હંમેશા અનલ યાને પવનની જેમ ઉન્મુક્ત વિહારી હોય છે. પવન ક્યાંય બંધાતો નથી તેમ મુનિ પણ અનુકૂળ કે પ્રતિકૂળ કોઈપણ સંજોગોમાં લેવાતા નથી. મા (ખ) દિવથા - ગપ્રતિવદ્વતા (સ્ત્રી.) (નિઃસંગપણું, અપ્રતિબદ્ધતા, રાગરહિત માનસિકતા, નિરોગીપણું) ઉત્તરાધ્યયનસૂત્રમાં અપ્રતિબદ્ધતાથી સંયમી જીવને શાની પ્રાપ્તિ થાય છે તેના જવાબમાં જણાવ્યું છે કે, મનથી રાગરહિતપણે રહેનારને નિઃસંગપણું પ્રાપ્ત થાય છે અને નિઃસંગપણાથી ધર્મધ્યાનમાં એકાગ્રચિત્તતા પ્રાપ્ત થાય છે. એમ ઉત્તરોત્તર સાધ્ય યોગોમાં અભિવૃદ્ધિ થતી જાય છે. મા (5) વિદ્ધવિહાર - પ્રતિવિવિહાર (ઈ.) (પ્રતિબંધરહિતનો વિહાર, દ્રવ્યાદિ અભિવૃંગરહિત વિહાર) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં મુનિના અપ્રતિબદ્ધવિહારનું સચોટ વિવેચન કરાયેલું છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચારેય પ્રકારના પ્રતિબંધથી રહિત થઈને વિચરનારા સાધુની સંયમયાત્રા સફળ બને છે. અન્યથા ઉત્કટ કાયક્લેશ કરીને પણ ચારિત્રની અસફળતા જ કહી છે. अप (प्प) डिबुज्झमान - अप्रतिबुध्यमान (त्रि.) (શબ્દાન્તરને ન સમજતો, ન ધારણા કરતો) *મપ્રન્યૂદમાર (ત્રિ.) (વેર પામેલા માનસ થકી નહીં હરાતું, ન ખેંચાતું) અપ (5) ડિથાર - પ્રતિવર (કું.) (વ્યસન કે દુઃખના ઉપાયનો અભાવ, ઉપાયરહિત, ઈલાજનો અભાવ) અનાથી મુનિ રાજવૈભવમાં આળોટતા રાજકુમાર હોવા છતાં તેઓએ દીક્ષા કેમ લીધી તેનું કારણ આપ સહુ જાણતા જ હશો ? તેઓને એકદા ભયંકર શિરોવેદના થઈ. કોઈ ઈલાજ-ઉપાય કારગત ન નીવડ્યો ત્યારે ભાવધર્મના શરણે જવાથી તે વેદના મટી હતી. અપ () કિસ્સવ - ૩પ્રતિરૂપ (ત્રિ.) (જની બરાબરીવાળું બીજાનું રૂપ નથી તે, તથા પ્રકારનો વિનય) મા (5) ડિત દ્ધ - પ્રતિબ્ધ (ત્રિ.) (અપ્રાપ્ત, ન થયેલું, પ્રાપ્ત ન થયેલું) ઘણા જીવો પૂજા પ્રતિક્રમણ તપ જપાદિ અમૃતાનુષ્ઠાનમય આરાધનાઓ કરતા કરતા કંટાળી જતા હોય છે. તેઓ મનથી વિચારતા હોય છે કે શું આ એકની એક ક્રિયા રોજે રોજ કરવાની. એ જીવોએ યાદ રાખવા જેવી વાત એ છે કે જયાં સુધી આપણે પ્રણિધાન કરેલી સિદ્ધિ આપણને સંપ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી કરોળિયાની જેમ એકસરખી રીતે ધર્મકરણી કરતા જ રહેવું જોઈએ. 434
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy