SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ अपक्कोसहिभक्खणया - अपक्वौषधिभक्षणता (स्त्री.) (અગ્નિ આદિ પર પકાવ્યા વિનાનું અન્ન ખાવું તે, શ્રાવકના સાતમા વ્રતનો પ્રથમ અતિચાર) ભગવાન આદિનાથના પિતા નાભિકુલકરના સમયમાં યુગલિકો અગ્નિ પર પકાવ્યા વિનાના અકણ ખાતા હતા. તેમાં કારણ એ જ હતું કે, તે સમયમાં યાને તે યુગલિકકાળમાં તેઓને અગ્નિ આદિ પર પકાવવાનું જ્ઞાન નહોતું. ભગવાને તે જ્ઞાન આપ્યું હતું. અપવવાદિ() - અપક્ષપ્રાદિન(ત્રિ.). (પક્ષનો અનાગ્રહી, અપક્ષપાતી, શાસ્ત્રબાધિત પક્ષ ન ખેંચે તે). જેણે આત્માનુભવ કરી લીધો છે યાને જેને સમ્યક્તનો સ્પર્શ થઈ ગયો છે તેવા સમકિતદષ્ટિ જીવને શાસબાધિત કોઈપણ પક્ષ ન ગમે. તે એવા કુપક્ષનો અનાગ્રહી હોય. જે જીવો હજુ સુધી સત્યાસત્યના વિવેકથી રહિત છે તેવા અજ્ઞાનીજનો જ કદાગ્રહના પક્ષપાતી બનતા હોય છે. अपगंड - अपगण्ड (त्रि.) નિર્દોષ, દોષ વિનાનું ૨.પાણીનું ફીણ) જેમ ચોવીશ કેરેટની ગુણવત્તાવાળા સોનામાં કોઈપણ પ્રકારની અશુદ્ધિ સંભવતી નથી. તેમ સો ટચના શુદ્ધાત્મદ્રવ્યમાં રાગ-દ્વેષાદિ કોઈપણ પ્રકારના દોષ સંભવતા નથી. સંયમધર્મ કે શ્રાવકધર્મની આરાધના આ શુદ્ધાત્મતત્ત્વને પામવા હેતુ બતાવેલાં છે. अपगंडसुक्क - अपगण्डशुक्ल (त्रि.) (જેમાંથી દોષ નીકળી ગયા હોય તેવું શુક્લ, નિર્દોષ અર્જુન સુવર્ણના જેવું શુક્લ, ચોખ્ખા પાણીના ફીણ જેવું સફેદ) સૂત્રકૃતાંગસૂત્રમાં અનુત્તર એવા શુક્લધ્યાનની વાત કરેલી છે. તે કેવું હોય તેની બાહ્ય ઉપમા દ્વારા સમજાવેલું છે કે, તે જેમ અર્જુન જાતિનું સુવર્ણ-પ્લેટીનમ કેવું નિર્મળ અને શ્વેતવર્ણીય હોય છે, તેના જેવું આ શુક્લધ્યાન અનુપમ કોટિનું વિશુદ્ધતમ હોય છે. મપત્રય - ૩પ (6) (અપકર્ષ, હીનતા, અભાવ). મોક્ષનું સ્વરૂપ સમજાવવું અત્યન્ત કઠિન છે છતાંય શાસ્ત્રકારોએ અનેક પ્રકારની યુક્તિઓથી તેને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં એક એવી યુક્તિ પણ કહી છે કે, બાહ્ય-અત્યંતર જે જે ભાવો આપણને જગતમાં અનુભવાય છે તે બધાનો જ્યાં સર્વથા અભાવ છે તે મોક્ષ છે. તથા પ્રકારના મોક્ષના સ્વરૂપને સમજવા માટે આપણને પ્રથમના ત્રણ કર્મોનો ઘણો ક્ષયોપશમ જોઈશે. () વFG - 3 પ્રત્યક્ષ (ત્રિ.) (અચાક્ષુષ, ચક્ષુનો વિષય ન બને તેવું, અપ્રત્યક્ષવર્તી બુદ્ધિ) અપ (ખ) વૈવલ્લા - અપ્રત્યાહ્યાન (ઈ.) (પચ્ચખ્ખાણ કે વિરતિના પરિણામનો અભાવ 2. અપ્રત્યાખ્યાનાવરણીય કષાય, દેશવિરતિના પરિણામને અટકાવનાર કષાય). ક્રોધ, માન, માયા, અને લોભ આ ચાર દુર્ગુણોનું ભેગું નામ છે કષાય ચતુષ્ક. તેના વળી એક એકના ચાર ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, અને સંજ્વલન. તેમાં અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય જીવને શ્રાવકપણાના ધર્મથી વંચિત રાખે છે. તે જીવને દેશવિરતિ ધર્મનું જરાયે આસેવન કરવા દેતો નથી. વ્રત પચ્ચખાણના ઉલ્લાસને હણી દે છે. अप (प्प) च्चक्खाणकिरिया - अप्रत्याख्यानक्रिया (स्त्री.) (પચ્ચખ્ખાણ કે ત્યાગ ન કરવાથી લાગતો કર્મબંધ, અપચ્ચખ્ખાણ ક્રિયા) વિરતિધર શ્રાવક અને અવિરત શ્રાવકમાં જો ભેદ કરવો હોય તો આટલો જ થાય છે કે વિરતિધર શ્રાવકના જીવનમાં વ્રત, પચ્ચખ્ખાણનો આદર દેખાય, જયારે અવિરત શ્રાવકના જીવનમાં વ્રત કે પચ્ચખાણ નામની કોઈ ચીજ હોય નહીં. તેમાં દેખીતું કારણ કોઈપણ હોય પરંતુ, અદૃષ્ટ કારણ તરીકે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયો જ રહેલા છે. ૩પ (m) જાસ્થાન () - ગપ્રત્યાધ્યાનિન(ત્રિ.) (પચ્ચખાણ કે ત્યાગ ન કરનાર, પચ્ચખાણરહિત) 430
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy