SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યો છે. अइणिच्चल - अतिनिश्चल (त्रि.) (અડગ, નિશ્ચલ, અત્યન્ત દેઢ) અત્યંત નિશ્ચલ મનવાળાને કોઈ દુર્ઘટનાઓ ક્ષોભ પમાડી શકતી નથી. અતિ આકરા દુઃખો પીડા આપી શકતા નથી. અને કઠિન કર્મફળ નીતિથી ચલાયમાન કરી શકતા નથી. માટે કહેવાયું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. अइणिद्धमहुरत्त - अतिस्निग्धमधुरत्व (न.) (તીર્થકરોની વાણીના 35 ગુણો પૈકીનો ઓગણીસમો વચનાતિશય ગુણ) તીર્થંકર પરમાત્માઓની વાણીના પાંત્રીસ ગુણોમાં ઓગણીસમો ગુણ છે અતિસ્નિગ્ધ મધુરત્વગુણ. જેમ ઘી-ગોળ સ્વાદમાં અતિસ્નિગ્ધ અને મધુર હોય છે તેમ પરમાત્માની વાણી પણ સાંભળવામાં અતિમધુર અને કર્ણપ્રિય હોય છે. તેમની દેશનાનો દરેક શબ્દ ઘીગોળની જેમ જીવોના હૃદયમાં ઉતરી જાય છે. (હું) (ત) (ય) ય - સતીત ત્રિ.) (વીતેલું, પાર ગયેલું, મૃત) * વાસી ભોજનની જેમ જેઓ ભૂતકાળને વળગીને રહે છે તેઓને દુઃખ સિવાય બીજુ કાંઈ પ્રાપ્ત થતું નથી. જે ભૂતકાળને ભૂલી શકે છે તે જ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. કહ્યું પણ છે કે, જે ભૂતકાળમાં જીવે તે સંસારી અને વર્તમાનમાં જીવે તે સાધુ. મ ($)(તી) 3(2) તખ્તા - મીતાબ્દા (સ્ત્રી.). (અતીતકાળ, વ્યતીત થયેલું અનંત પુગલપરાવર્ત કાળ) જેમ રણ પ્રદેશમાં ઉભેલો માણસ રણમાંથી પાણીની ચાહના કરે તો તે અત્યંત મૂર્ખતા કહેવાય. તેમ સતત વિષય-કષાયોમાં રત રહેવાવાળો પુરુષ વિષયાદિમાંથી સમ્યક્તની ઇચ્છા કરે તે વધારે મૂર્ખતા છે. જો પાણી મેળવવા માટે રણમાંથી બહાર આવવું પડે, તો સમ્યક્તને પામવા માટે વિષયાદિ ભાવોનો ત્યાગ ન કરવો પડે? અત્યાર સુધીના વિતેલા અનંત પુદ્ગલ પરાવતમાં આપણે વિષય-કષાયોમાં જ ઘેરાયેલા રહ્યા છીએ. પણ હવે તેમાંથી બહાર આવવા યોગ્ય દિશાનો પ્રયત્ન કરવો રહ્યો. = ($)(ત) રૂ () તપશ્વવલ્લા - અતીતપ્રત્યાહ્યાન (.) (પૂર્વકાળે કરવા યોગ્ય પચ્ચખાણનો ભેદ) જ્ઞાની ભગવંતોએ આપણા સંસાર પરિભ્રમણની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, જેમ તમે લોકો બેંક એકાઉન્ટ, ઘર, દુકાન, સોનાચાંદીરૂપે પૈસા ભેગા કરીને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો છો, તેમ તમારા આવનારા ભવોને સુધારવા માટે પહેલેથી જ પાપસ્થાનોનો , ત્યાગ અને શુભકાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. માટે જ તો શાસ્ત્રોમાં પૂર્વકાલીન પચ્ચખ્ખાણનો ઘણો જ મહિમા ગવાયો છે. મ (તિ) રૂ () તાપ - તિયાન (1) (નગરાદિમાં રાજાનો પ્રવેશ) (તિ) () તા #દ - તિયાનથી (ટી.) (રાજાદિના નગરપ્રવેશનો વૃત્તાન્ત) (તિ) રૂ(ય) તાદિ - મતિયાનJદ () (નગરાદિ પ્રવેશમાં આવતા ઊંચા ઘર, પ્રસિદ્ધ ઘર જે નગરમાં પેસતાં જણાઈ આવે) (તિ) રુ(તા) યાટ્ટિ - મતિયાનથિ (સ્ત્રી) (રાજા આદિના નગર પ્રવેશમાં તોરણાદિથી કરવામાં આવેલી નગરશોભા) જેમ રાજાના નગર પ્રવેશમાં, દિવાળી, નવરાત્રી જેવા તહેવારોમાં તમે ઘર અને દુકાનને તોરણ રંગોળી આદિથી સુશોભિત કરો છો તેમ આપણા પરમોપકારી ગુરુભગવંતના પ્રવેશ અને પર્યુષણ જેવા મહાપર્વોના પ્રસંગો પર ઘર વગેરેને આડંબર સાથે સજાવી દેવા જોઇએ. જેથી દુનિયાને ખબર પડે કે જૈનોને પોતાના ધર્મ પર કેટલો અહોભાવ-ભક્તિભાવ છે.
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy