SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અત્તરવા II - માત્મોપચાર (કું.) (ઉદાહરણ 2. દોષ 3. ઉપન્યાસનો એક ભેદ, જેમાં આત્માનો ઉપવાસ થાય-નિવેદન થાય તે) શ્વાસોશ્વાસની પ્રક્રિયા વગરના એકેન્દ્રિયાદિ જીવોના અસ્તિત્વના વિષયમાં દૃષ્ટાંતના માધ્યમથી સ્થાપના કરાય તે આત્મોપન્યાસ કહેવાય છે. આ વાતને દશવૈકાલિકસૂત્રમાં તળાવ વિશેષ અને પિંગલ સ્થપતિનું ઉદાહરણ આપીને સિદ્ધ કરવામાં આવી છે. મત્ત - માત્મશ્નર (ત્રિ.). (પોતાનું કરી સ્વીકારેલું, પોતાનું છે તેમ રાખેલું) બૃહત્કલ્પસૂત્રમાં સાધ્વાચારની કરેલી વિસ્તૃત વિવેચનામાં ગોચરીની પણ બાબતોની ખાસી ચર્ચા કરાયેલ છે. તેમાં સાધુ દ્વારા લાવેલી ગોચરી પર આચાર્ય ભગવંતનો અધિકાર હોય છે. તેમની અનુજ્ઞા થયા પછી અન્ય સાધુભગવંતોની ભક્તિ કરીને મુનિ પોતે આહાર કરે છે. લાવેલી ગોચરીમાં આ સારી વસ્તુ છે માટે હું રાખી મૂકે પછી ખાઈશ એમ ચિંતવી મુનિ પોતાનું કરી મૂકી રાખતા નથી. અત્તમ - માત્મન (.) (પોતાનું દુષ્કૃત્ય, પોતાનું દુશ્ચરિત્ર, જેનાથી પોતાનો આત્મા પાપકર્મે લેપાય તેવું કમ) પિંડનિર્યુક્તિ અને દશવૈકાલિકસૂત્રમાં આત્મકર્મની વિસ્તૃત ચર્ચા કરીને તેની ચતુર્ભગી દર્શાવી છે. દુશ્ચરિત્રાત્માનું વર્ણન કરતા શાસ્ત્રકારે કહ્યું છે કે, જેમ ચોર પોતાના ચૌર્યકર્મના કારણે સતત ઉદ્વિગ્ન રહેતો હોય છે. તેને ચારે બાજુથી ભય સતાવતો રહે છે. તેમ આધાકર્મી અશનાદિ ભોગવનાર સાધુ સતત આઠેય પ્રકારના કર્મોથી ખેંચાયેલો કરણ-કરાવણ-અનુમોદન દ્વારા કર્મમળથી લપાતો રહે છે. માટે જેનાથી આઠેય પ્રકારના કર્મોનું આવરણ થાય તેવા આત્મકર્મનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. મત્ત - માત્મા (ત્રિ.) (આંતરિક, આત્મિક) આચારાંગસૂત્રમાં એક પાઠ આવે છે કે, “જે મખં નાગ સે સળં નાડુ અને ‘ને સળં નાઈફ સેમí ના' અર્થાતુ જે પોતાના આત્માને જાણે છે તે આખા જગતને જાણે છે અને જે આખા જગતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. વ્યક્તિ આખી દુનિયાને ઓળખવામાં પોતાના આંતરિક આત્માને ઓળખવાનું ભૂલી જાય છે. એટલું જ નહીં, દુનિયાને ઓળખવાની લ્હાયમાં પોતાની જીંદગી પૂરી થઈ જાય છે તે પણ ખબર નથી પડતી. એટલો સમય પોતાના આત્મિક ગુણોને ઓળખવામાં કાઢ્યો હોત તો દુનિયાને ઓળખવાની શી જરૂરત હતી? તે તો આપોઆપ ઓળખાઈ જ જાત. સત્તાવેસ - માર્તવેષ () (ઔપચારિક વિનયનો એક ભેદ, આર્ત-દુઃખીજનની ગવેષણા-ખોજ) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં આર્તગવેષણને ઔપચારિકવિનયનો એક ભેદ ગણવામાં આવેલો છે. કોઇ ધનના અભાવમાં આપત્તિમાં પડેલી હોય તેવા જીવને જોતા જ તેના દુઃખમાં સહભાગી થવાના ભાવથી દ્રવ્યાદિની પ્રાપ્તિ કરાવી આપવી તે આર્તગવેષણ છે. अत्तगवेसणया - आर्तगवेषणता (स्त्री.) દુઃખી અને ગરીબ માણસોની શોધ કરવી તે). ગાંધીજીનું એક પ્રિય ભજન છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે” સાચો વિષ્ણુભક્ત તો તે છે જે બીજાના દુઃખોને જાણે અને તેને દૂર કરવાના પ્રયત્નો કરે. બાકી તો માત્ર જન્મ જ વૈષ્ણવ છે. જો લૌકિકધર્મમાં દયાનું આટલું મહત્ત્વ છે તો વિચારી જુઓ કે, લોકોત્તર જિનધર્મમાં પરોપકાર માટે કેટલું મહત્ત્વ હશે. શાસ્ત્રમાં તો યાવત્ ત્યાં સુધી કહેલું છે કે શ્રાવકે દુઃખી જીવોની ગવેષણા કરવી અને કોઈ પીડિત દેખાઈ આવે તો તેના દુ:ખને દૂર કરવાના બધા જ ઉપાયો કરે. માત્મ (1) નવેષUતિ (સ્ત્રી.) (લોકોપચાર વિનયનો એક ભેદ) 382
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy