SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકની ચૂર્ણિમાં કહેલું છે કે સંયમી આત્મા સંયમનું પાલન કરતા કરતા પ્રત્યેક ક્ષણે વિચારે કે, મારાથી જે દોષો થાય છે તેને શું કોઇ જુએ છે કે નહિ, બીજું કોઇ ના જોતું હોય તો મારો આત્મા તો જુએ જ છે ને. આ પ્રમાણે જે વારંવાર પોતાના આત્માને દોષ સેવન કરતા પૂર્વે ટોકે છે. અટકાવે છે. તે સંયમી ભવ્યાત્મા ભવિષ્યકાળમાં આવનારા દોષોથી બચી જાય છે. મપિટ્ટ- અનુપૃષ્ઠ (.) (અનુક્રમ, પરિપાટી, આનુપૂર્વી). ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજે લખ્યું છે કે, વ્યવહારમાર્ગ અને ધર્મમાર્ગ પ્રવર્તાવનારયુગાદિદેવ આદિનાથના ઇક્વાક કુળની પરિપાટી અનુસાર તેમની પછી આવેલા અસંખ્ય રાજાઓમાંથી ચક્રવર્તી ભરતની જેમ કેટલાક મોક્ષે ગયા અને કેટલાક રાજાઓ દેવલોકમાં ગયા. જેના આદ્યસ્થાપક સર્વોત્કૃષ્ટ હોય તેમની કુળપરંપરા પણ ઉત્તમકોટિની જ હોય ને? મણુપુષ્ય - અનુપૂર્વ () (ક્રમ, પરિપાટી, અનુક્રમ) આપણી પાસે સિનેજગતના હીરો-હીરોઇનોના નામો, તેમની પેઢી-દરપેઢીના નામોય છે. અંગ્રેજોના બસો વર્ષોનો ઇતિહાસ પણ મોઢે છે. કયા સમયમાં કયા વાઇસરોય આવ્યા અને તેમણે કયા કામો કર્યા તે પણ ખબર છે. પરંતુ જેમના શાસનમાં જીવી રહ્યા છે તે ભગવાન મહાવીરસ્વામીની પાટે કયા કયા ક્રમે ક્યા કયા મહાપુરુષો આવ્યા, અને તેમણે લોકહિત માટે કેવા કેવા ભગીરથ કાર્યો કર્યા છે તેનું જ્ઞાન નથી. ગાંધીજીના શબ્દો યાદ આવે છે કે, જેને પોતાની ગલીના રસ્તાની ખબર નથી અને દેશના નકશાઓની ચર્ચા કરે છે. *માનુપૂર્થ (2) (મૂળક્રમ, આદ્યપરિપાટી) સ્થાનાંગસૂત્રમાં લખેલું છે કે, જેનું કુળ પરાપૂર્વથી ઉજ્જવળ છે. જેના પૂર્વજોનું જીવન અને શીલ બન્ને પવિત્ર છે તેવા ઉત્તમકુળમાં સ્વજાતિ અને સમયની અનુકૂળ સ્થિતિમાં ઉત્પન્ન થયેલ સંતાનમાં રૂપ, ગુણ અને બળ આદિ ઉત્તમ હોય છે. પુત્રી - અનુપૂર્વશમ્ (વ્ય.) (અનુક્રમે, અનુક્રમ પ્રમાણે) अणुप्पइय - अनूत्पतित (त्रि.) (ઊડી ગયેલું, ઊડેલું, ઊર્ધ્વગતિ કરેલું). જે પક્ષી પાંજરામાં જ પુરાઇને મળતા પરાધીન સુખો પર જીવતું હોય તેને ગગનમાં વિહરનારા પક્ષીની સ્વતંત્રતાનું મૂલ્ય ખબર ન પડે. તેવી રીતે કર્મોનાં બંધનમાં રહીને સંસારના તુચ્છ સુખોની આદત પડી ગયેલા કર્માધીન જીવને કર્મોની જાળમાંથી છૂટીને સિદ્ધશિલામાં આત્મસ્વતંત્રતાનું શાશ્વત સુખ ભોગવનારા સિદ્ધોના સુખનું મૂલ્ય કેવી રીતે સમજાય? પ્પાથ - મનુ () પ્રસ્થ (પુ.). (નિર્ગથ, સાધુ, મુનિ) કોઇ દુઃખદ પરિસ્થિતિ કે અન્ય કોઇ કારણોસર નહિ, અપિતુ સ્વેચ્છાએ અને સમજણપૂર્વક વિરતિધર્મને વર્યા છે તેવા શ્રમણોના બાહ્યવસ્ત્રોમાં કે મનમાં કોઇ પણ પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ ગાંઠ હોતી નથી. કેમ કે તેઓ સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગી હોય છે. ગ્રંથિ તેને રાખવી પડે છે જેને પરિગ્રહ રાખવાનો હોય, જ્યારે આ તો નિગ્રંથ છે. મગુપ્પULT - અનુત્પન્ન (ત્રિ.) (વર્તમાન સમયમાં અવિદ્યમાન, અપ્રાપ્ત, ઉત્પન્ન ન થયેલું) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથમાં કહ્યું છે કે, ચિત્તમાં ઉત્પન્ન થનારા કષાયોનો હ્રાસ વરસાદના અભાવમાં થયેલા મંડૂકચૂર્ણ જેવો ન કરતા અગ્નિમાં બાળી નાખેલા ચૂર્ણ જેવો કરજો. અન્યથા જેમ વરસાદના અભાવમાં ભલે દેડકા દેખાતા ન હોય પરંતુ જેવો પાણીનો સંયોગ મળશે કે તરત જ તેઓ ઉત્પન્ન થશે. તેવી રીતે વર્તમાન સમયમાં ભલે કષાયોનું અસ્તિત્વ અવિદ્યમાન હોય. પરંતુ જેવા ઉપસર્નાદિનો સંયોગ થશે કે તરત જ તે બહાર આવી જશે. આથી આપત્તિની પૂર્વે ચેતે તે જ પંડિત છે. | 319
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy