SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ મyષાયિન (ત્રિ) (ક્રોધાદિ કષાયોને પાતળા કરનાર, મંદકષાયી, અલ્પકષાયી) હંમેશાં જેનું ચિત્ત શાંત રહેતું હોય, સંતોષની વૃત્તિ અને સરળતાભર્યો વ્યવહાર હોય, સામાન્ય સંયોગોમાં ક્યારેય તેના મનમાં પણ ક્રોધ ન થતો હોય અને ક્યારેક કોઈ વિશિષ્ટ સંયોગોમાં તેને ક્રોધાદિ કષાય આવી જાય તો પણ ખૂબ જ ઓછા સમયમાં જે પૂર્વવત્ શાંત બની ક્રોધાદિ કષાયોને મંદ પાડી દેનારો હોય અથવા તેનો ત્યાગ કરી દે, તેને મંદકષાયી કે અલ્પકષાયી ભવ્યાત્મા કહેવાય છે. મનુષાવિન (ત્રિ.) (જેના કષાય પ્રબળ નથી તે, પ્રબળ કષાયરહિત, સત્કારાદિથી હર્ષરહિત) જ્ઞાનની પરિણતિ જેમ જેમ આત્મામાં ઘડાતી જાય તેમ તેમ તે આત્મા માધ્યભાવે સ્થિર થતો જાય છે. સત્ય જ્ઞાનને પામવાના કારણે તેના ક્રોધાદિ કષાયો મંદ-મંદતર થવા માંડે છે. સંસારની પ્રવૃત્તિઓમાંથી રસ ઓછો થઈ જાય છે અને તે જાગૃતિપૂર્વક સતત આગળ વધતો રહીને આત્મસ્વભાવની રમણતા સાધી લે છે. તેવા મંદકષાયી જીવો જલદીથી ભવપરંપરાનો નાશ કરે છે. अणुक्कस्स - अनुत्कर्षवत् (पुं.) (આઠમદમાંના કોઈપણ મદને નહીં કરતો) જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય આ આઠ મદોથી ઉન્મત્ત થઇ છકી ગયેલો આ સંસારી જીવ ભવભ્રમણમાં પોતાને ન ગમે તેવા હલકી જાતિ, નીચકુળ, કરૂપ, નિર્બળતા, અજ્ઞાનતા, દરિદ્રતા વગેરે મળે તેવા ઘણા અશુભકર્મ બાંધે છે. મણુકોણ - અનુર્વ (ઈ.) (પોતાની બડાઇ, પોતાના ગુણોનું અભિમાન 2. ગૌણમોહનીય કર્મ) વિનય, દયા, પઠન આદિ અનેક ગુણોનું હોવું એ સારી વસ્તુ છે પરંતુ, તે હોવાનું અભિમાન ગુણોનો ઘાત કરનારું થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે જીવ વિનયાદિ ગુણોનો ધારક હોવાનું અભિમાન કરે છે ભવિષ્યમાં તેને તે ગુણોની પ્રાપ્તિ થતી નથી. મraોશ (કું.) (કરુણા, દયા). શાસ્ત્રોમાં દયા વગરનો જીવ અસુર પ્રકૃતિનો કઠોર હૃદયી કહ્યો છે અને કરુણાવાળો-દયાળુ જીવ કોમળ પ્રકૃતિનો ધર્માજીવ કહ્યો છે. જેમ યોગ્યતા વગરની ભૂમિમાં ગમે તેવું સારું બિયારણ નાખો તો પણ તે ફળતું નથી તેમ અન્ય જીવોનું દુઃખ જોઈને તેને દૂર કરવાનો કોમળ ભાવ પણ જેના હૃદયમાં જાગતો નથી તેવો આત્મા યા તો અભવી છે કે દુર્ભવી છે. મલ્લિત્ત - મનુH (ત્રિ.) (પાછળ ફેંકેલું) अणुगंतव्व - अनुगन्तव्य (त्रि.) (અનુસરવું, અનુસરવા યોગ્ય) હંમેશાં અનુસરવું હોય તો સજર્જન અને બુદ્ધિશાળી વ્યક્તિઓને જ અનુસરવું જોઈએ. કારણ કે તેઓ હિતાહિતનો સારી રીતે વિચાર કરીને જ પગલું ભરનારા હોય છે. જ્યારે મુર્ખ અને દુર્જનોનું અનુસરણ કરવાથી ડગલે ને પગલે દુઃખ તથા ક્લેશની જ અભિવૃદ્ધિ થતી હોય છે. માટે જ કહ્યું છે કે, “મદીનનો ચેન તિઃ સંસ્થા ' એટલે મહાજનોના પથનું અનુસરણ શ્રેયસ્કર છે. અનુચ્છ અનુરામન (જ.) (સન્મુખ જવું તે, સત્કાર કરવા સામે જવું તે) નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, જયારે આપણે ત્યાં ગુરુ ભગવંત, માતા-પિતાદિ વડીલો, જ્ઞાન, વિદ્યાદિ ગુણોમાં જયેષ્ઠ વ્યક્તિઓ પધારે ત્યારે તેઓનો સત્કાર કરવા આપણે તેમની સન્મુખ જવું જોઈએ. જેને આગમોમાં એક પ્રકારનો વિનય જણાવેલો છે. પુJછમાળ - મનુન (ત્રિ.) (અનુસરણ કરતું, અનુગમન કરતું) 300
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy