SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ મળિ (for) નમા - વીયન (ત્રિ.) (અનુસરતું, અનુસરણ કરવામાં આવતું) જેમ વ્યક્તિનો પડછાયો તેને અનુસરે છે તેમ જીવના શુભાશુભ કર્મો પણ તેને અનુસરીને ભવાન્તરમાં પણ આત્માની સાથે-સાથે જ જાય છે. માટે કોઈપણ કાર્ય કરતાં પહેલા તેના ફળનું ચિન્તન કરીને પછી જ તે કાર્યને કરવું હિતકારી બને છે. મળિ (four) નમામિ | - કન્વીયમાનમા(ત્રિ.) (અનુસરાતો માગ) માત્ર સારી-સારી ઉપદેશની વાતો કરવાથી ઇતિશ્રી થઈ જતું નથી પરંતુ કથનાનુસારી આચરણ કરવાથી જ તે ઉપદેશની વાતો સાર્થક બને છે. યાદ રાખો કે વ્યક્તિ, કુટુંબ, સમાજ વગેરે જનસમુદાય માત્ર તમારા કથનને નહીં કિંતુ આચરણને અનુસરે છે. મળિખૂTI - પોદા (ગવ્ય.) (નહીં આપીને) એક અત્યંત કંજૂસ શેઠ પાસે ભિખારીએ ભોજન, જીર્ણવસ્ત્રો આદિ જે પણ માગ્યું શેઠે તે-તે વસ્તુઓ પોતાને ઉપયોગી હોવાનું જણાવીને કંઈપણ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. છેલ્લે પેલા ભિખારીએ શેઠને કહ્યું કે શેઠ! કંઈપણ વસ્તુ નહીં આપો તો ચાલશે પણ આંગણામાં પડેલી ચપટી ધૂળ તો આપશો ને? શેઠે ચપટી ધૂળની શી જરૂર છે? તેમ પૂછતાં તે ભિખારીએ જણાવ્યું કે ભૂતકાળમાં અમે કોઈને કંઈ નથી આપ્યું તેથી આજે અમારી આ હાલત છે. તમે અત્યારે ચપટી ધૂળ આપશો તો કાલે તમને અન્ય કોઈ વસ્તુ આપવાની ઈચ્છા પણ થશે. મળજ્ઞાત્તિ - નિર્ધાર્થ (અવ્ય.) (ચક્ષુના વ્યાપાર વિના, આંખથી જોયા વિના) ધાર્મિક કે સામાજિક અનુષ્ઠાનો મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક કરવાથી જ ફળદાયી બને છે. ધમનુષ્ઠાનોમાં ભાગ લીધા પછી કોઈ ખાસ કારણ વગર ચક્ષુને અનાવશ્યક આમતેમ ફેરવવી તે પણ એક પ્રકારનો પ્રસાદ હોવાથી તેનો નિષેધ કરેલો છે. अणिज्जायणत्तिया - अनिर्यापणात्मिका (स्त्री.) (વાચના સંપદાનો એક ભેદ). કૂદ - નિર્ગુઢ (ત્રિ.) (મોટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે ઉદ્ધરેલું નહીં તે) શું તમે આ જાણો છો? આપણે જેને પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં ગુરુમુખે એકાગ્રતાપૂર્વક ઉલ્લાસભેર શ્રવણ કરીએ છીએ તે કલ્પસૂત્રને આર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ બૃહત્કલ્પ નામના મોટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે સંકલન કરીને ભવ્યજીવોના હિત માટે ઉદ્ધરેલું છે. પરંતુ એવા પૂર્વકાળે ઘણા દુર્ગમ વિષયોવાળા બૃહત્કાય ગ્રંથો હતા જેનો સંક્ષેપરૂપે ઉદ્ધાર થયેલો નથી. ટ્ટ - નષ્ટ(.) (અનિષ્ટ, અપ્રિય, અણગમતું 2. પાપ 3. વિષાદિ 4. અપકાર 5. જેનું પૂજન આદિ નથી કર્યું તે દેવ 6. દુઃખ 7. નાગબલા) નાના-મોટા દરેક જીવો પોતાને અણગમતી કે દુઃખ ઉપજાવનારી વસ્તુઓથી દૂર ભાગે છે. પણ તે અણગમતી વસ્તુઓને ઉત્પન્ન કરનાર ખોટા કર્મો તો એ જીવો કરતા જ રહે છે. કર્મો ખરાબ કરવા અને સારા ફળની ઈચ્છા રાખવી, આ તે કેવી વિસંગતિ? મળકુતર - નિર્ણતર (ત્રિ.). (અત્યંત અનિષ્ટ, અતિ અણગમતું, અતિશય અપ્રિય) તીવ્ર ઠંડી કે ગરમી આપણને અતિશય અપ્રિય લાગે છે. આપણા કરતાં કંઈક ગણી વધારે ઠંડી-ગરમીનો અનુભવ પૂર્વભવોમાં બાંધેલા ચીકણા કર્મોના કારણે નારકીઓ કરે છે. સાથે-સાથે પરમાધામી દેવો દ્વારા તેઓને ઘાણીમાં પીલવા, ભટ્ટીમાં નાખવા, કટકા કરવા આદિ દ્વારા અત્યંત વેદના આપવામાં આવે છે. જેને તેઓએ ખૂબ જ દુઃખપૂર્વક અનિચ્છાએ ભોગવવી પડે છે. giar - અનિષ્ટન (). (જેનું ફળ અનિષ્ટ છે તે, અનર્થફળ 2. અશુભ કર્મ) 280
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy