SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના વહેણમાં વહેતો આ સંસાર તેના નિત નવા સ્વરૂપો દેખાડે છે. ગઈકાલનો રાજા આજે રંક થઈ જાય છે તો આજનો રંક આવતી કાલે રાજા બની જાય છે. એટલું જ નહીં દેવેન્દ્રો જેવા સમર્થ દેવેન્દ્રોને પણ ઘડીકમાં હર્ષ કરાવે છે તો ઘડીકમાં શોક કરાવે છે. એમ અનેક પ્રકારના આશ્ચર્યોથી ભરેલો આ સંસાર અનિયત સ્વરૂપવાળો છે. પિત્ત - અનીતિપત્ર (ત્રિ.). (જેના પાંદડા કીડાઓથી ખવાયેલા નથી તે) મળ૪(૩) તથ - તિમુવ (.) (અતિશય બંધનથી મુક્ત થયેલું 2. તિન્દુક કે તાલ વૃક્ષ વિશેષ) જે બંધનોથી અત્યંત રીતે મુક્ત થયેલો હોય તેને સંસ્કૃતમાં અતિમુક્તક કહેવાય છે. શાસ્ત્રીય રીતે વિચારતાં જે જીવ સંસારના જન્મમરણ રૂપી બંધનથી અત્યંત રીતે મુક્ત થયેલો હોય તેને અતિમુક્તક કહેવાય છે. તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરનારા ચરમશરીરી જીવો પણ અતિમુક્તક કહી શકાય છે. મળUT - નપુ (ત્રિ.) (નિપુણ નથી તે, અકુશળ) સંસારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આખું ય જીવન વીતે તે શક્ય નથી. આ જગતમાં વિઘ્નો તો દરેકને આવે છે પરંતુ, કુશળ મનુષ્યો બુદ્ધિબળે તે વિદ્ગોમાંથી પણ કોઈકને કોઈક સારો માર્ગ કાઢી લે છે. પુણ્યપુરુષોને વિપ્નોમાંથી પણ સહજતયા રસ્તો મળી જાય છે. થ્વિવારિ () - નિયતવારિન(પુ.) (અપ્રતિબદ્ધ વિહારી, પ્રતિબંધ વગર વિચરનાર) પ્રતિબદ્ધ એટલે આસક્ત અને અપ્રતિબદ્ધ એટલે અનાસક્ત. માટે જ સાધુ ભગવંતોને અપ્રતિબદ્ધ વિહારી કહેલા છે. કારણ કે તેઓ મન વચન અને કાયાથી ઘર-બાર સ્ત્રી પુત્રાદિ પરિવાર, હીરા માણેકાદિ ધન-દોલત વગેરે સંસારની કોઈપણ વસ્તુ પ્રત્યે આસક્તિ પણ નથી રાખતા અને પરિગ્રહ પણ નથી કરતા. પવનની જેમ તેઓ હંમેશાં અપ્રતિબદ્ધ વિહારી કહેવાય છે. अणिएअवास - अनियतवास (पु.) (અનિયતવાસ, ઘર સિવાય માસકલ્પાદિ પૂર્વક ઉદ્યાનાદિમાં વસવું તે) સાધુ ભગવંતોના વિશિષ્ટ આચારોમાં એક છે અનિયતવાસ. અનિયતવાસ એટલે કોઈ નિશ્ચિત સ્થાન રહિત. માસિકલ્પાદિની સમાચારીને આચરતા સાધુ ભગવંતો કોઈ એક સ્થાને રહેવાની જગ્યાએ ઉદ્યાન, ઘર, ખંડેર આદિ કોઈ એક નિશ્ચિત સ્થાને સ્થાયી ન રહેતા અનિયતવાસી બની વિહાર કરતા હતા. अणिओग- अनियोग (पुं.) (પ્રેરણા ન કરવી તે 2. નહીં યોજેલું 3. અધિકાર ન આપવો તે 4. આજ્ઞા ન કરેલું છે. નિયોગથી ભિન્ન) સાધુની વાણી કોમલ, મંજુલ, કર્ણપ્રિય અને વિધેયાત્મક હોય. તેમનું વચન ક્યારેય કઠોર કે આજ્ઞાકારી ન હોય. શાસ્ત્રોમાં શ્રમણને આજ્ઞાકારી વચનનો સામાન્યથી નિષેધ કરેલો છે. કેમ કે તેમાં માલિકીભાવ અને કઠોરતા હોવાથી ક્યારેક કોઇનું દિલ દુભાવવાનો પ્રસંગ થઈ શકે છે માટે જ મુનિ નિયોગપ્રવૃત્તિ કરતા નથી. TI - મનફાર (ત્રિ.) (અંગાર દોષરહિત) સાધુની ગોચરીના 42 દોષોમાંનો એક દોષ છે અંગાર. આહાર-પાણી કે ઔષધાદિ પર રાગ ધરીને જે ભિક્ષા ગ્રહણ કરવામાં આવે તે અંગાર દોષવાળી ભિક્ષા જાણવી. રાગને અગ્નિ સમાન કહેલો છે અને અગ્નિ જેમ શરીરને બાળે છે તેમ રાગથી ગ્રહણ કરેલી ગોચરી ચારિત્રરૂપી શરીરને બાળે છે. માટે સંયમી સાધુએ અંગારદોષરહિત ભિક્ષાને ગ્રહણ કરવી જોઇએ. મળદ્ર - નિન્દ્ર (ત્રિ.) (જેમાં ઇન્દ્ર નથી તે, ઇન્દ્ર વિનાનું) 275
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy