SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે અર્થાતુ, તેઓ માત્રને માત્ર સત્યવક્તા હોય છે. . મUTUUTRA - મનન્યામ (ત્રિ.) (મોક્ષમાર્ગથી અન્ય માર્ગને વિષે રમણ નહીં કરનારા, મુક્તિમાર્ગે રમણ કરનારા) સમકિતીના પાંચ લક્ષણોમાંનું એક લક્ષણ છે નિર્વેદ અર્થાત, સંસારથી કંટાળો. જેણે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યું છે તેવા આત્માને સંસારના દરેકે દરેક પ્રસંગોમાં કે કાર્યોમાં કોઈ જ દિલચસ્પી કે આનંદ હોતો નથી. માત્ર એક ફરજરૂપે જતેનું પાલન કરતો હોય છે. તેનું ચિત્ત તો મોક્ષમાર્ગના સાધનોમાં જ રમતું હોય છે. તેને દેવ-ગુરુ અને ધર્મ સિવાય ક્યાંય આનંદ નથી આવતો. માષ્ફય - અનાશ્રવ (પુ.). (આશ્રવનિરોધ, નવા કર્મોને આવતાં અટકાવવાં તે). પ્રશ્નવ્યાકરણસૂત્રના પહેલા આશ્રવ દ્વારામાં લખેલું છે કે, નવા કર્મોનો આત્મામાં પ્રવેશ થવો તે આશ્રવ છે. અને તેના નિરોધના કારણભૂત જિનાજ્ઞાના પાલનથી નવા કર્મોનો રોધ-નિષેધ કરવો તેનું નામ છે અનાશ્રવ. અર્થાતુ આત્મામાં પ્રવેશતા નવા કર્મોને અટકાવવા તેનું નામ છે અનાશ્રવ. અનાશ્રવી આત્મા તપ-જપ-જ્ઞાન-ધ્યાન વડે કર્મો ખપાવી સિદ્ધ-બુદ્ધ ને મુક્ત થાય છે. મUTયર - અનાશ્રવર (પુ.) (આશ્રવનિરોધ કરનાર, નવા કર્મોને આવતાં અટકાવનાર) ભગવતીસૂત્રના પચ્ચીસમા શતકના સાતમા ઉદ્દેશામાં પ્રશસ્ત મનના વિનયભેદની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, જે પાપભીરૂ છે અને નવા કર્મોના બંધનને ઇચ્છતો નથી તે ભવ્યાત્મા નવા કર્મોના આશ્રવભૂત પ્રાણાતિપાત આદિ પાપક્રિયાઓનો ત્યાગ કરે છે. જે જીવહિંસાદિ કરતો નથી તેનું ચિત્ત કાયમ પ્રસન્ન રહે છે. મUTયત્ત - અનંહત્વ () (પાપરહિતપણું, કર્મ રહિતતા, આશ્રવનો અભાવ) ઉત્તરાધ્યયનસૂત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે કે, “સંગને મારૂં નાય' અર્થાતુ, હે શ્રમણ ! ઘાતિ અને અઘાતિ બન્ને પ્રકારના કર્મોના આશ્રવનો અભાવ કર. અર્થાત્ કર્મનાશમાં મુખ્ય કારણભૂત એવા ચારિત્રધર્મનું શુભભાવપૂર્વક પાલન કર. સંયમના નિરતિચાર પાલન થકી તારા આત્માને નિષ્કર્મા બનાવ. अणतिक्कमणिज्ज - अनतिक्रमणीय (त्रि.) (અતિક્રમણ કરવા યોગ્ય નહિ, ઉલ્લંઘન કરવા યોગ્ય નહિ) સ્વ-પરના હિત માટે શિષ્ટપુરુષો કે વડીલોએ જે મર્યાદા બાંધી હોય તેનું ઉલ્લંઘન ક્યારેય પણ ન કરવું જોઇએ. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઘણી બધી આપત્તિઓના ભોગ બનવું પડે છે. સીતાએ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કર્યું તો તેને રાવણ હરી ગયો. પરસ્ત્રીને મા-બહેનની નજરે જોનારો રાવણ પરસ્ત્રીમાં આસક્ત થયો તો તેણે પોતાના પ્રાણ ખોવા પડ્યા. अणतिक्कमणिज्जवयण - अनतिक्रमणीयवचन (त्रि.) (જેના વચન ઉલ્લંઘન કરવા યોગ્ય નથી તે, જેમ કે માતા, પિતા, ગુરુ આદિ) માતૃ-પિતૃભક્ત શ્રવણનો આદેશ છે. જેણે કાવડમાં માતા-પિતાને બેસાડીને અડસઠ તીરથની યાત્રા કરાવી હતી. આ દેશ પિતૃભક્ત રામનો છે જેણે પિતાના વચનને સત્ય ઠેરવવા માટે ચૌદવર્ષનો વનવાસ હસતા મોઢે સ્વીકારી લીધો. આ એ દેશ છે જ્યાં માતાપિતાના વચનોનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવામાં નહોતું આવતું. પરંતુ આજે તે ઇતિહાસ બની ગયો છે. આજે તો માતા-પિતાની વિરુદ્ધમાં જવું એ ફેશન બની ગઇ છે. યાદ રાખજો! માતા-પિતાની વાતનું ઉલ્લંઘન કરીને તમે તમારું ધાર્યું તો કરી લેશો પરંતુ, તેમની આંતરડી બાળીને જે પાપ બાંધશો તે તમને જન્મજન્માંતર સુધી રડાવશે. अणतियार - अनतिचार (त्रि.) (અતિચારરહિત) ત્રિગુપ્ત મુનિને પૂછવામાં આવ્યું કે, હે મુનિવર ! આપના ચારિત્રજીવનમાં કેટલા દોષ છે? ત્યારે તેમણે કહ્યું કે, એક વાર મનમાં મને મારી પૂવવસ્થાની સ્ત્રી યાદ આવી ગઈ હતી તે મનથી પાપ થયું હતું. એક શ્રાવકના ત્યાંથી ગોચરી વહોરીને બીજા શ્રાવકના 236
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy