SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 1 2 પણ સાધુને કલ્પતા નથી તો પછી તેઓએ લાવેલો આહાર તો કેવી રીતે કલ્પી શકે? અને જે ગચ્છમાં સાધુ કારણ વિના સાધ્વીએ પ્રાપ્ત કરેલો આહારાદિ વાપરે છે તેને ગચ્છ કેવી રીતે કહેવો? अज्जावेयव्व - आज्ञापयितव्य (त्रि.) (આજ્ઞા કરવા યોગ્ય, હુકમ કરવા યોગ્ય) શાસ્ત્રમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાને પાળવાના આચારોનું વર્ણન કરવામાં આવેલું છે અને જે આચારપાલનના નિયમો બતાવવામાં આવેલા છે તે ઉત્સર્ગમાર્ગથી બતાવવામાં આવેલા છે. અર્થાત શક્ય બને ત્યાં સુધી શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે જ આચરણ કરવું. પરંતુ છેલ્લે આગમોએ એમ પણ કહેલું છે કે, “ગુરુ માWITE થપ્પો' અર્થાતુ ધર્મ તો ગુરુની આજ્ઞામાં રહેલો છે. ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞાનુસાર નવકારશી કરનાર પણ માસક્ષમણ જેટલું ફળ મેળવે છે. ગુરુ આજ્ઞાથી આધાકર્મી આહાર વાપરે તો પણ તે ધર્મનું જ પાલન કરે છે. મજ્ઞાસં - માયંસ (પુ.) (સાધ્વીનો પરિચય, આર્યાનો સંસર્ગ) ગચ્છાચાર પત્રામાં પ્રભુ મહાવીરે ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલું છે કે, હે ગૌતમ! જે ઉંમરમાં વૃદ્ધ છે, તપસ્વી છે, આગમ શાસ્ત્રો ભણેલો હોવાથી બહુશ્રત છે અને સર્વજન માન્ય છે એવો સાધુ પણ સાધ્વીના અતિસંસર્ગથી જો અપકીર્તિ પામે છે તો પછી જે હજી યુવાન છે, કોઈ વિશિષ્ટ તપાદિ હજી જેણે કર્યાનથી, આગમના રહસ્યોને હજુ જેણે જાણ્યા નથી તેવો સાધુ જો સાધ્વીનો પરિચય કરે તો શું નિંદાને પાત્ર ન બને? અર્થાતુ, તે વિશેષ પ્રકારે લોકાપવાદને પાત્ર બને છે. અજ્ઞાસાઢ - માર્યાષિાઢ (કું.) (અવ્યક્તદષ્ટિ-નિતવમતવાળા સાધુઓના ગુરુ) શ્રીવીર પ્રભુના નિર્વાણ પછી 214 વર્ષે ઉત્પન્ન અવ્યક્તમતના શિષ્યોના ગુરુનું નામ આયષાઢ હતું. તેઓ એકવાર શ્વેતાંબી નગરીમાં પધાર્યા ત્યારે હૃદયશૂળના રોગથી મૃત્યુ પામી સૌધર્મવાસી દેવ બન્યા હતા. તે પછી તેઓ સ્વશરીરમાં પ્રવેશીને પોતાના યોગ્ય શિષ્યને પટ્ટે સ્થાપીને પુનઃ દેવલોકમાં ગયા. ત્યારપછી તેમના શિષ્યો નિહ્નવો દ્વારા ચલાવેલા મતના અનુયાયી થયા હતા એમ આવશ્યકસૂત્રની કથાઓ અને ઉત્તરાધ્યયનસૂત્રની કથાઓમાં વર્ણવેલું છે. નિમ - kત (ત્રિ.) (ઉપાર્જિત કરેલું, ઉત્પન્ન કરેલું 2. સંઘરેલું). ઘણી વખત બે વિપરીત પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જે અધર્મી છે, પૂરેપૂરો નાસ્તિક છે તે સુખમાં મહાલતો હોય છે અને જે પરમ આસ્તિક છે, ધર્મનું સંપૂર્ણ શ્રદ્ધાથી આચરણ કરતો હોય છે તે દુઃખી હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આવું જોઇને ધર્મ છોડવાની જરૂર નથી, કેમ કે ધાર્મિક જીવ દુઃખી થાય છે તે પૂર્વસંચિત પાપ કર્મોના કારણે અને નાસ્તિક જીવ સુખ ભોગવે છે તે પણ પૂર્વોપાર્જિત પુણ્યના કારણે. જેવું પુણ્ય ખતમ થશે કે તરત જ તે દુઃખની આગમાં હોમાઇ જશે. अज्जिअलाभ - आर्यिकालाभ (पुं.) (સાધ્વીઓથી લાભ, સાધ્વીએ લાવેલા આહાર-વસ્ત્ર-પાત્રાદિ) આવશ્યકસૂત્રના તૃતીય અધ્યયનમાં કહેલું છે કે, જેઓ ધર્મમાં અલ્પરૂચિવાળા છે અને ભિક્ષાદિ લેવા જવામાં પ્રમાદી છે તેવા સાધુઓ સાધ્વીજીઓની પાસેથી વસ્ત્ર-પાત્રાદિની અપેક્ષા રાખે છે. જ્યારે તેમને એવું ન કરવા અને સંયમમાં ઉદ્યમી બનવાનું ગુરુ ભગવંત સમજાવે છે ત્યારે તેઓ આચાર્ય અર્ણિકાપુત્રનું ઉદાહરણ લઈને સ્વબચાવ કરતા હોય છે. નિમ - માર્થિ (સ્ત્રી.) (નાની, દાદી, સાધ્વી) ફોરેનથી ગુજરાતમાં આવીને વસેલા અને ગુજરાતી થઇ ગયેલા ફાધર વાલેસ કૉલેજમાં પ્રોફેસર હતા. તેઓની એક વિદ્યાર્થિનીએ પોતાની દીક્ષા પ્રસંગે તેઓને આમંત્રણ આપ્યું. ફાધર વાલેસ કસ્તૂહલથી જૈન દીક્ષા જોવા આવ્યા. તેમણે શિષ્યાને શણગારથી સજેલી જોઈ અને વિધિ બાદ જ્યારે તેને સાધ્વીના વસ્ત્ર પહેરાવીને લાવવામાં આવી તેના માટે ફાધર વાલેસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 176
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy