________________ આર્ય જંબૂસ્વામી તેમની સમ્યગૂ ઉપાસના કરનારા થયા. જંબુસ્વામીના ચરિત્રને ઉજાગર કરતાં જંબુચરિયું, જંબુઅધ્યયન આદિ અનેક પ્રાચીન ગ્રંથો મળે છે. ભગવાન મહાવીરની પાટપરંપરામાં તેઓ છેલ્લા કેવળી થયેલા કહેવાય છે. મMવિમg - માર્યક્ષst (ત્રી.). (યક્ષિણી આર્યા, ભગવાન નેમિનાથના પ્રથમ શિષ્યા) अज्जजयंत - आर्यजयन्त (पुं.) (આર્ય જયંત, વજસેનસૂરિના ત્રીજા પટ્ટધર શિષ્ય) કલ્પસૂત્રની પટ્ટાવલીમાં પ્રાપ્ત થતા ઉલ્લેખ પ્રમાણે આર્ય વજસેનસૂરિના ત્રીજા પટ્ટધર તરીકે આર્ય જયંતનું નામ મળે છે. अज्जजयंती - आर्यजयन्ती (स्त्री.) (આર્ય રથથી નીકળેલી એક શાખા, આર્યજયંતી શાખા) કલ્પસત્રમાં આવતા ઉલ્લેખ પ્રમાણે આર્ય રથથી એક શાખા નીકળી જે આર્યજયંતીના નામથી ઓળખાઈ અને બીજી રીતે આર્ય જયંત થકી એક શાખા નીકળી તેનું નામ પણ આર્યજયંતી શાખા હતું. કલ્પસૂત્રમાં જે જે સ્થવિરોથી તે સમયમાં જે જે શાખાઓ નીકળેલી તેના ઉલ્લેખો કરેલા છે. સળગીયા (6)- આર્યગીતથર (પુ.) (કૌશિક ગોત્રના આર્ય શાંડિલ્યના શિષ્ય, જીતધર નામના એક સૂરિ) સર્વ હેયરૂપ ધર્મોથી પર ગયેલા હોય તે આર્ય કહેવાય છે. જીત એટલે સૂત્ર. અર્થાત્ સૂત્ર મર્યાદાને સૂચવે છે. જીત, સ્થિતિ, કલ્પ, મર્યાદા, વ્યવસ્થા આ બધા શબ્દો એકાર્થક બતાવ્યા છે. આર્ય ગોત્રમાં થયેલા શાંડિલ્યસૂરિના શિષ્ય જીતધરસૂરિ થયા જેમની સ્તુતિ નંદીસૂત્રમાં કરાયેલી છે. અન્નVI - સર્જન () (ભેગું કરવું તે, એકઠું કરવું તે 2. સંપાદન કરવું તે) વાચસ્પત્ય કોશમાં સ્વામિત્વ સંપાદનના અર્થમાં અને વ્યાપારના એક પ્રકાર તરીકે પણ અર્જન શબ્દનો અર્થ કર્યો છે. ભૌતિક જગતમાં એકઠું કરવાની બાબતમાં લોકો સૌપ્રથમ સંપત્તિ માટે ત્યારપછી સત્તા સન્માનાદિને માટે વિચારે છે. જ્યારે ધર્મ જણાવે છે કે, તમે સુકૃતોની સંપત્તિ એકઠી કરો. જેટલા સુકતો વધારે તેટલું પુણ્ય વધારે અને તે વધુ પુણ્ય જ તમને યાવત મોશે પહોંચતા સુધી સત્તા, સંપત્તિ, સન્માન વગેરેની પ્રાપ્તિ સુલભ બનાવી આપશે. अज्जणक्खत्त - आर्यनक्षत्र (पुं.) (જૈનાચાર્ય શ્રી આર્યભદ્રના શિષ્ય) अज्जणंदिल - आर्यनन्दिल (पुं.) (આર્ય મંગુના શિષ્ય) નંદીસૂત્રમાં વર્ણન છે કે, આર્ય મંગના શિષ્ય અને આર્ય નાગહસ્તિના ગુરુ આર્ય નંદિલ જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ઘણા ઉદ્યમવંતા હતા. તેમના માટે જૈન પરંપરાના ઇતિહાસમાં લખ્યું છે કે, તેઓએ ધરણેન્દ્રની પત્ની નાગેન્દ્રાનું “નમિઉણ’ શબ્દથી શરુ થતા ચમત્કારિક મહાસ્તોત્રની રચના કરી હતી. अज्जणाइल - आर्यनागिल (पुं.) (આર્ય વજસેનના પ્રથમ શિષ્ય) अज्जणाइला - आर्यनागिला (स्त्री.) (આર્યનાગિલથી નીકળેલી શાખા) કલ્પસૂત્રમાં આર્યનાગિલથી નીકળેલી આર્યનાગિલા શાખાનો ઉલ્લેખ કરાયેલો છે. 169