________________
૬૬ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-પીકેશ
રાખો. ઉત્તમ અને ભાવપ્રેરક ધાર્મિક ગ્રંથોનું અધ્યયન
કરો. આ બધી બાબતો ધ્યાનમાં મદદગાર છે. ૧૮. શરીરને આમતેમ હલાવ્યા સિવાય ખડકની માફક સ્થિર
રાખો. ધીરે ધીરે શ્વાસ લો. શરીરને વારંવાર ખંજવાળવું પણ નહીં. તમારા ગુરુએ બતાવ્યા પ્રમાણે જ માનસિક
ભાવ રાખો. ૧૯. જ્યારે મન થાકી જાય ત્યારે ધ્યાન બંધ કરી દેવું જોઈએ.
તેને થોડો આરામ આપવો જોઈએ. ૨૦. જ્યારે કોઈ વિચાર ઘનરૂપ બનીને મન પર અધિકાર
જમાવી બેસે છે ત્યારે તે શરીર તથા મનની વાસ્તવિક સ્થિતિમાં પરિવર્તન થઈ જાય છે. તેથી જો તમે તમારા મનને માત્ર ભગવાનના જ વિચારમાં નિમગ્ન રાખશો તો તમે જલદીથી નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરી શકશો. પ્રસન્નચિત્ત યથાશક્તિ પ્રયત્ન કરે.
૧૮. વિદ્યાર્થીઓને વીસ સૂચનો
૧. બ્રાહ્મમુહૂર્ત
વહેલી સવારે ચાર વાગ્યે ઊઠો. સવારના ચારથી બ્રાહ્મમુહૂર્ત કહેવાય છે. મનને અભ્યાસમાં રોકવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. શૌચ પતાવી, ઠંડા પાણીથી સ્નાન કરી પંદર મિનિટ પ્રભુનું ધ્યાન કરો અને પછી તમારો અભ્યાસ શરૂ કરો. ૨. શારીરિક વ્યાયામ
વ્યાયામ તમારે માટે આવશ્યક છે. એ તમને તેજીલાં