SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરાપર્વ ગણવાની કે એના ઉપર કાંઈ ભાણ કરવાની જરૂર નહીં રહે, જે સહજ હોવું જોઈએ, તે જ જણાશે ત્યારે આપણું ખાતરી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગેપીએને એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલે જ નિર્દોષ હતે. મથુરાપર્વ અંતે હૈયું કઠણ કરી વ્રજવાસીઓએ રામ-કૃષ્ણને અક્રૂર સાથે વિદાય કર્યા. કરાવેલે સમયે બે ભાઈઓ અખાડા આ તરફ જવા નીકળ્યા. રાજા-પ્રજા ઉભય એ 1 ખેલ જોવા ભેગાં થયાં હતાં. મલ્લકુસ્તીમાં જ બે ભાઈઓનો નાશ થાય એટલીયે કંસને ધીરજ નહતી. એને કાંઈ ખેલ જે નહોતે. એને તે જે તે રીતે રામકૃષ્ણના પ્રાણ લેવા હતા; તેથી અખાડાના મંડપના દ્વાર સન્મુખ આવતાં જ કંસની આજ્ઞાથી એક મહાવતે એક મદેન્મત્ત હાથીને કૃષ્ણની સામે દેડાવ્યું. કૃણે વીજળી જેવી ચપળતા વાપરી પહેલાં હાથીને ખૂબ થકવ્યો અને પછી એને દાંત જેરથી ઉખાડી નાખી એ જ દાંતના ફટકાથી એનું માથું ભાંગી નાખ્યું. ૨. આ પરાક્રમથી એક બાજુથી કંસના હોશકેશ ઊડી ગયા, પણ બીજી બાજુથી પ્રજાને સમભાવ કૃષ્ણ પ્રત્યે ઢળે. કંસના કાવતરા માટે પ્રજા એને મુહિક-ચાણૂરસર ફિટકાર કરવા લાગી. રમત શરૂ કરવાને વખત થયે. કંસે જેમતેમ કરીને હિંમત પકડી, રા-૬
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy