SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ }¢ કૃષ્ણ સાચાં ન હોય એમ એકંદર સમાલેાચનાથી જણાય છે; પણ સાચાં જ છે એમ ઠરે તેા શ્રીકૃષ્ણની આદર્શ પુરુષ તરીકે એછી કિંમત થાય એ કબુલ કરવું જોઈ એ. માતાપિતા ૨. કૃષ્ણના પિતા વસુદેવ યદુવંશી ક્ષત્રિય હતા. તે મથુરાની પાસેની કેટલીક જમીનના માલિક હોય એમ લાગે છે. ગાયે એ યાદવેાનું મુખ્ય ધન હતું. વસુદેવ પાસે પણ પુષ્કળ ગાયા હતી. ઠરાવેલુ દાણુ લઈ એ ગાયે આહિરાને સોંપવામાં આવતી. આથી આહિરોનાં ઘણાં કુટુંબ ( ત્રો) મથુરાની આસપાસ રહેતાં. વસુદેવ એક શૂર યાદ્ધા અને ન્યાયપ્રિય પુરુષ હતા. એમની ધર્મનિષ્ઠાને લીધે સર્વે યાદવા એમને પૂજ્ય ગણતા. રાહિણી અને દેવકી નામે એમને બે પત્નીઓ હતા. દેવકીએ મથુરાના રાજા ઉગ્રસેનની ભત્રીજી થતી હતી. પુસ ૩. ઉગ્રસેનના મેટા પુત્રનું નામ કંસ હતું. એ રાજ્યને અતિ લાભી હતા. પિતાના મરણ સુધી વાટ જોવાની એનામાં ધીરજ નહાતી. એ મગધ (દક્ષિણ બિહાર) ના રાજા જરાસંધની એ દીકરી સાથે પરણ્યા હતા. જરાસંધ તે વખતના સૌથી અળવાન રાજા હતા; તેથી કંસને એની મદદની હૂંફ હતી. વળી જરાસંધને સાČભૌમ થવાની મહત્ત્વાકાંક્ષા હતી; એટલે કંસને રાજ્ય અપાવવામાં એને સ્વાર્થ પણ રહેલે હતે. જતે દહાડે કો પોતાના આપને કેદ કરી એનું રાજ્ય પચાવી લીધું. યાદવાને આ વાત પસંદ પડે એમ નહેાતું,
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy