SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરકાણ્ડ ૪૯ ૬. ચાર દહાડે લક્ષ્મણુ અયેાધ્યા પાછા ફર્યાં અને રામને સીતાના સદેશે! કહ્યો. રામે આ ચારે દિવસ અતિશય શાકમાં ગાળ્યા હતા, અને રાજકાજમાં કશું લક્ષ આપ્યું ન હતું. પણ જે રાજા પ્રજાની ફરિયાદ સાંભળતા નથી તે નરકમાં પડે છે, એવું શાસ્ત્રવચન યાદ કરી એમણે ધૈય ધારણ કર્યુ અને પાછા રાજકામાં લાગ્યા. એમની કારિકી માં શત્રુઘ્ને મથુરા પાસેના પ્રદેશના લવણુ રાજાને મારી એ દેશ પેાતાને તાબે કર્યાં. તેના પરાક્રમના બદલામાં રામે તેને એ પ્રાન્તનું રાજ્ય સોંપ્યું. ૭. જે સમયે ઉત્તરકાર્ડ લખાયા હશે તે સમયમાં ત્રિવર્ણોની શૂદ્ર સામે કેવી તિરસ્કારવૃત્તિ હશે તે નીચેના પ્રસંગ પરથી જણાય છે. શમ્બુવ ૮. એક દિવસ એક બ્રાહ્મણુ મારતેર વષઁના પેાતાના આળકનું પ્રેત લઈ રાજસભામાં આવ્યા, અને માબાપના જીવતાં અલ્પ વયના બાળકનું મૃત્યુ થવાના અઘટિત પ્રસંગ બનવાનું રામને કારણ પૂછવા લાગ્યા. એણે કહ્યું : અમે માબાપે કદી પણ અસત્ય ભાષણ કિવા ખીજું કાંઈ પાપ કર્યું હોય એમ અમને યાદ નથી; માટે આ અનથ રાજાના દોષને લીધે આવ્યા હાવા જોઈએ. જે પાપ રાજા કરે છે અથવા તેના અમલ નીચે કરવામાં આવે છે તેનું દુષ્ટ ફળ પ્રજાને વેઠવું પડે છે.” ન્યાયપ્રેમી રાજા વિચાર કરવા લાગ્યા કે પેાતાનું એવું કચુ પાપ હશે, કે રાજ ―――――――
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy