SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ૮. વાલી વીરને છાજે એવી રીતે મૃત્યુને શરણ થયે. મરતાં પહેલાં એણે સુગ્રીવના ગળામાં પિતાની માળા ઘાલી, વાલીનું મૃત્યુ છે અને પિતાના પુત્ર અંગદની સંભાળ લેવા * જણાવ્યું. રામે અંગદને યુવરાજપદે સ્થાપવા સુગ્રીવને આજ્ઞા કરી. વાલી વીર પુરુષ હતા. એના મરણથી રામ-લક્ષમણને પણ દુખ થયું. સુગ્રીવ અને બીજા વારે એ પણ શેક કર્યો. ૯. વાલીની ઉત્તરકિયા થયા પછી કપિઓએ સુગ્રીવ અને અંગદને, રાજા અને યુવરાજ તરીકે અભિષેક કર્યો. , કેટલાક દિવસ આનંદમાં ચાલ્યા ગયા. સુગ્રીવને 50 એટલામાં ચોમાસું આવી લાગવાથી રામધમકી લક્ષ્મણ એક ગુફામાં રહેવા લાગ્યા. ચોમાસું પણ પૂરું થયું, પણ સુગ્રીવ તે ભેગવિલાસમાં પડી ગયે હતો. એ રામને મદદ કરવા માટે લીધેલી પ્રતિજ્ઞા લી ગયે. રામ-લક્ષ્મણ આથી ચિંતા કરવા લાગ્યા. એમને સુગ્રીવ ઉપર તિરસકાર છો. છેવટે, એક દિવસે આકળા સ્વભાવને લક્ષ્મણ ઊડ્યો, અને સીધે સુગ્રીવના દરબારમાં પહોંચે. એણે સુગ્રીવને ધમકાવીને કહ્યું: “તારી પ્રતિજ્ઞા પૂરી કર; નહીં તે યાદ રાખજે કે વાલી મરણ પામી જે માગે ગયે છે, તે માર્ગ હજુ બંધ થયે નથી.” ૧૦, સુગ્રીવની આંખે આ ધમકીથી ઊઘડી ગઈ એણે તરત જ ચારે દિશામાં દૂત મોકલી સર્વ વાનરદળને એકઠું થવા આજ્ઞા કાઢી. હિમાલય અને વાનરની વિંધ્યાચળના દૂરના પર્વતમાંથી કરેડેની ૨વાની સંખ્યામાં વાનરે ચાલી આવ્યા. કાળા મુખના,
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy