SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કિષ્કિન્ધાકાત અને એનાં પરાક્રમ તથા શૌયમાં શ્રદ્ધાવાળી સીતાએ ધીરજથી આ દુઃખના દિવસો કાઢવા હિંમત ખાંધી. કિષ્કિન્ધાકાણ્ડ રામને શોક આ તરફ રામ અને લક્ષ્મણુ પાછા ફર્યાં ત્યારે સીતાને ન જોઈ અતિશય ગભરાયા. રામને શાક તા કેમે કર્યો માય નહીં. સીતા, સીતા ” કરતા એ ગાંડા જેવા થઈ ગયા. ઝાડ, પાન, પશુ, પક્ષી સર્વેને સીતાના સમાચાર પૃષ્ટવા લાગ્યા. લક્ષ્મણે રામને ધીરજ રાખવા અને સીતાની શેાધ માટે પ્રયત્ન કરવા સલાહ આપી. બન્ને જણા આશ્રમ છેડી સીતાને ખાળવા નીકળી પડચા. રસ્તામાં ઘાયલ થઈ પડેલા જટાયુ મળ્યા. તેણે સીતાનું હરણ કરનાર રાવણ છે એમ આતમી આપી. ઘેાડી વારમાં જ ઘાની વેદનાથી એ ગતપ્રાણ થયા. આવા દુઃખમાં ખરા મદદગાર મિત્રના મરણથી મને ભાઈ આને ઘણા શેક થયા. એમણે એની યાગ્ય પ્રેતયિા કરી, અને પછી દક્ષિણ દિશા તરફ્ ચાલવા માંડ્યુ. જતાં જતાં રસ્તામાં તેઓ કન્ય નામે એક રાક્ષસના હાથમાં સપડાયા, પણ આખરે એને નાશ કરી સહીસલામત આગળ વધ્યા. કમન્યે પણ મરતાં પહેલાં રાવણુ વિષે વિશેષ માહિતી આપીને રામ ઉપર ઉપકાર કર્યાં. ૨. આગળ ચાલતાં ચાલતાં તેઓ પમ્પા સાવર પાસે મતંગ ઋષિના આશ્રમ આગળ આવી પહોંચ્યા. ત્યાં 6 ૩
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy