SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અરણ્યકાણહ માગે શી રીતે ચાલે? સત્ય એ જ સર્વ ધર્મનું મૂળ છે, માટે લેભ કિવા મહિને વશ થઈ હું સત્યરૂપી સેતુને છેડનાર નથી.” ૨૦. બેમાંથી કેની ઉદારતાનાં વધારે વખાણ કરવાં એ ઠરાવવું મુશ્કેલ હતું. પ્રજાજને અને ઉપર ફિદા થઈ ધન્ય ધન્ય”ના પિોકારે કરી રહ્યા હતા. છેવટે એમ ઠર્યું કે ભરતે રામની પાદુકા રાજ્યાસન પર મૂકી રામને નામે રાજ્ય ચલાવવું. ભરતે સાથે સાથે કહી દીધું કે જે ચૌદ વરસ પૂરાં થતાં જ તમે નહીં આવે તે હું ચિતાપ્રવેશ કરીશ. એણે પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે વનવાસીને વેશે રાજકારભાર ચલાવવા માંડ્યો. અરણ્યકાર્ડ વનમાં પ્રવેશ કર્યા પછી રામ જુદા જુદા આશ્રમે જેતા જોતા દક્ષિણ તરફ ચાલતા હતા. તેવામાં એક દિવસ વિરાધને નાશ છેએમને કેઈક જંગલમાં વિરોધ નામે એક પ્રચંડ રાક્ષસ મળે. એણે રામ વગેરે ઉપર હલ્લો કર્યો. રામ અને લક્ષમણને એણે એક એક હાથમાં ઉપાડી લીધા. બાણે તે એની જાડી ચામડીમાં પિસી જ શકતાં નહીં, પણ રામ અને લક્ષમણે તલવાર વતી જે હાથે એણે એમને ઉપાડ્યા હતા તે કાપી નાખ્યા. પછી તેને એક ખાડામાં દાટી દીધે.
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy