SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ નાખ્યું હતું. આથી એ બાળક મરેલું અવતર્યું. હવે વંશ ચાલુ રહેવાની સર્વ આશા નષ્ટ થઈ. સ્ત્રીઓમાં રડારોળ થઈ રહી. ઉત્તરા કૃષ્ણની આગળ ખૂબ વિલાપ કરવા લાગી. એ કૃષ્ણથી જોઈ શકાયું નહીં. દયાથી એમનું હૃદય ભરાઈ આવ્યું. એ ઉત્તરાને ઓરડામાં ગયા અને એક આસન પર આચમન કરી બેઠા. પછી મૃત બાળકને ખોળામાં લઈને માટે સ્વરે બોલ્યા: “હું આજ સુધી મશ્કરીમાં સુધ્ધાં અસત્ય બોલ્યા નથી અને યુદ્ધમાંથી પાછા ફર્યો નથી, તે મારાં પુણ્યથી આ મૃત બાળક જીવતે થાઓ ! મારી સદૈવ ધર્મપ્રિયતા અને ધર્મના અધિષ્ઠાતા બ્રાહ્મણે પ્રત્યેની પૂજ્યતાને લઈને અભિમન્યુને પુત્ર જીવન્ત થાઓ. મેં વિજયમાં સુધાં બીજાને વિરોધ કર્યો નથી. તેને લઈને આ બાળકને પ્રાણ પાછા આવે ! કંસ અને કેશીને મેં ધર્મથી નાશ કર્યો હોય તે તે બાબતથી આ બાળક ફરીથી સચેત થાઓ ” આમ શ્રીકૃષ્ણ બેલતા હતા, ત્યાં ધીમે ધીમે તે બાળકને શ્વાસ ચાલવા લાગે અને થેડી વારમાં તેણે વિદ્યાની શક્તિઓ છે. એ અસ્ત્રવિદ્યા હવે લુપ્ત થઈ ગઈ છે; પણ એ વાત ખરી છે એમ માનવું ભૂલભરેલું છે. મંત્રથી સર્પ, વીછી વગેરે ઉતારનારા આજે પણ હોય છે. એક વાર મંત્રવિદ્યા સાધવાનું ભારતવર્ષમાં વ્યસન જ થઈ પડ્યું હતું. સર્વે અસામાન્ય બાબતમાં બને છે તેમ આયે પુષ્કળ દુરપયોગ થાય છે, અને એનાં નામ નીચે પાખંડો ચાલે છે. આથી આવી વિદ્યાઓ વિષે જેઓ અશ્રદ્ધા ધરાવે છે તેઓ વધારે સલામત માગે રહે છે. જે વસ્તુ પિતે સમજી શકતો નથી, તેમાં શ્રદ્ધા મૂતાં સંકોચ રાખવો, એમાં દોષ નથી. જેટલું સત્ય હશે, તેમાં, અનુભવ આવ્ય, શ્રદ્ધા ઉપન્ન થશે જ.
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy