SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ ની વ કરાવવું 2. એણે જ કરાવ્યાંક ૧૧, દ્રોણ પછી કણ સેનાપતિ થયે. એની અને અર્જુનની વચ્ચે દારુણ યુદ્ધ ચાલ્યું. એ બેમાં કેણ ચડે એ ઠરાવવું મુશ્કેલ છે. પણ કણ ગર્વિષ્ઠ અને - બડાઈખેર હતું. એણે અત્યાર સુધીમાં દુર્યોધનને બેટી સલાહ આપી અનેક અકર્મો કરાવ્યાં હતાં. લડાઈમાં એનું દૈવ વિપરીત થયું. એના રથને ચાક એકાએક એક ખાડામાં ખેંચી ગયે. એને ઊંચકીને બહાર કાઢવા માટે એણે શસ્ત્ર મૂકી દીધાં અને અર્જુનને પણ થોડી વાર લડાઈ ભાવવા કહ્યું. પણ કૃષ્ણ એમ કરવા અર્જુનને ચોખ્ખી ના પાડી અને કહ્યું કે જેણે પપદે અધર્મ કર્યો છે તેને આ સમયે સ્વાર્થ માટે ધર્મનું બહાનું કાઢવાને અધિકાર નથી. આથી અજુને પોતાનાં બાણ ચાલુ રાખ્યાં. કણું ચાકને કાઢવા જતાં એક બાણથી વીંધાઈ મરણ પામ્યા. ૧૨. હવે કૌરવોની પડતી થવા લાગી. દુર્યોધન તે સિવાય સર્વ ભાઈઓ અને એના ઘણાખરા ૧૧ દ્ધાઓ તથા સૈન્ય માર્યા ગયાં હતાં. છેવટે દુર્યોધનને નાસીને એક ધરામાં સંતાઈ જવું પડ્યું. ત્યાં પણ એ પકડાયે, ત્યાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું. આ વખતે ભીમે કળયુદ્ધ કરી, કૌરવરાજાની સાથળ ઉપર ગદાનો પ્રહાર કરી એને મરણતેલ ઘાયલ કર્યો. ૧૩. લડાઈનો હવે અંત આવી ગયે. પાંડવોએ કૌરવોના તંબૂઓને કબજે લીધે અને તેમાં પોતાના પક્ષનાં રહ્યાંસહ્યાં માણસને રાખ્યાં. રાત્રે અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા યાદવે એ તંબૂમાં પિસી ઊંઘમાં
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy