SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મથુરાપર્વ અને કૃષ્ણ પર હતો; માટે સારામાં સારો ઉપાય તે રામ અને કૃષ્ણ મથુરા છોડવું એ જ ગણાય. ૯. આવા વિચારથી એ યાદવેએ બે ભાઈઓને મથુરા છોડવા વિનંતી કરી. પ્રજાનું હિત જોઈ ભાઈઓએ | તરત જ એ વિનંતી સ્વીકારી લીધી અને રામ-કૃષ્ણને - મથુરાગ ક્ષણને પણ વિલંબ ન કરતાં દક્ષિણમાં કરવીર શહેરે આગળ જઈ પહોંચ્યા. ત્યાં એમને પરશુરામને મેળાપ થયે. પરશુરામે એમને આજુબાજુના પ્રદેશની અને રાજકીય સ્થિતિની માહિતી આપી. એમની સલાહથી રામ અને કૃષ્ણ ગેમન્તક પર્વતના શિખર ઉપર રહ્યા. ૧૦. રામ-કૃષ્ણ મથુરા છોડી ગયા એ વાતની ખબર પડતાં જરાસંધે એમને પીછો પકડ્યો. ગેમન્તક પર્વતમાં બે ભાઈઓ સંતાયા છે એવી એને ભાળ પર્વતનું યુદ્ધ , પણ લાગી. એમને જીવતા બાળી મૂકવાના અથવા લડાઈના મેદાનમાં લડવા માટે આવવા ફરજ પાડવાના ઈરાદાથી શિશુપાળની સલાહથી એણે પર્વતને ચારે ગમથી સળગાવી મૂક્યો. ચારે બાજુ ભયંકર અગ્નિ પ્રગટેલે જોઈ, રામ-કૃષ્ણ પિતાનાં આયુધ લઈ પર્વત પરથી કૂદકે મારી જરાસંધના સૈન્ય પર ધસી પડવાનું પસંદ કર્યું. એક શિખરનો આશ્રય લઈ બંનેએ પિતાની ધનુર્વિદ્યાના પ્રભાવથી જરાસંધના સૈન્યને સારી પેઠે ઘાણ વા. પછી બળરામે હળ અને મુશળથી તથા શ્રીકૃષ્ણ ચક્રથી અનેક વીરાનું કંદન ચલાવ્યું. છેવટે જરાસંધ પરાભવ પામી પાછા ગયે. શ્રીકૃષ્ણ અને બળરામ ગેમન્તક પરથી
SR No.005973
Book TitleRam ane Krishna
Original Sutra AuthorN/A
AuthorKishorlal Ghanshyamlal Mashruwala
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages152
LanguageGujarati
ClassificationInterfaith
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy