________________
જ્યારે કોઈ પણ અશુભ મલિન વિચાર મનને પીડતો હોય ત્યારે તેને જીતવાનો સહેલો ઉપાય એ છે કે આપણે તેની તદ્દન અવગણના કરવી જોઈએ. આ અવગણના કેવી રીતે કરવી? તેને તદ્દન ભૂલી જઈને, તેને કેવી રીતે ભૂલી જવો? ફરીથી તેને મનમાં દાખલ થતો અટકાવીને અથવા તેનું મનન ન કરીને.
મનને તેનું મનન કરતાં કેવી રીતે અટકાવી શકાય? તેને બદલે બીજા વધુ રસદાયક, ભવ્ય ને પ્રેરણાજનક સંકલ્પ કે વિષયનું ચિંતન કરીને. અવગણના કરો, ભૂલી જાઓ, કંઈક ભવ્ય ને પ્રેરણાદાયક વસ્તુનું ચિંતન કરો – હલકા વિચારો પર પ્રભુત્વ મેળવવા માટે આ ત્રણ સૂત્રો મહાન સાધના રૂપ છે.